________________
સંમયસાર–બ અધિકાર जो सो दुणेहभावो तम्हि गरे तेण तस्स रयबंधो । णिच्छयदो विण्णेयं ण कायचेट्टाहिं सेसाहिं ॥२४५॥ एवं सम्मादिट्ठी वहतो बहुविहेसु जोगेसु । अकरंतो उवओगे रागादी ण लिप्पदि रएण ॥ २४६॥ જેવી રીતે વળી તે જ નર તે તેલ સર્વ દૂર કરી, વ્યાયામ કરતા શસ્ત્રથી બહુ રજભર્યા સ્થાને રહી; ર૪ર. વળી તાડ, કદળી, વાંસ આદિ છિન્નભિન્ન કરે અને ઉપઘાત તેહ સચિત્ત તેમ અચિત્ત દ્રવ્ય તણે કરે. ર૪૩. બહુ જાતનાં કરણ વડે ઉપઘાત કરતા તેહને, નિશ્ચય થકી ચિતન કરે, રજબંધ નહિ શું કારણે? ૨૪૪.
એમ જાણવું નિશ્ચય થકી—ચીકણાઈ જે તે નર વિષે રજબંધકારણ તે જ છે, નહિ કાયચેષ્ટા શેષ જે. ૨૫. યોગે વિવિધમાં વર્તતે એ રીત સમ્યગ્દષ્ટિ જે, રાગાદિ ઉપયોગ ન કરતો રજથી નવ લેપાય તે. ૨૦૬.
અર્થ –વળી જેવી રીતે–તે જ પુરુષ. સમસ્ત તેલ આદિ સિનગ્ધ પદાર્થને દૂર કરવામાં આવતાં, બહુ રજવાળી જગ્યામાં
સો વડે વ્યાયામ કરે છે, અને તાડ, તમાલ, કેળ, વાંસ, અશોક વગેરે વૃક્ષોને છેદે છે. ભેટે છે, સચિત્ત તથા અચિત્ત દ્રવ્યોને ઉપઘાત કરે છે; એ રીતે નાના પ્રકારનાં કારણે વડે ઉપઘાત કરતા તે પુરુષને રજનો બંધ ખરેખર કયા કારણે નથી થતો તે નિશ્ચયથી વિચારે તે પુરુષમાં જે તેલ આદિને ચીકાશભાવ હોય તેનાથી તેને રજને બંધ થાય છે એમ નિશ્ચયથી જાણવું. શેષ કાયાની ચેષ્ટાઓથી નથી થતો. (માટે તે પુરુષમાં ચીકના