SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ [ લઘુ ત્રિષ્ટિ શલાકા પુરુષ દેખી તે શંકાયો. તેણે સેવાને ચિત્રકારને શિરચ્છેદ કરવાના હૂકમ કર્યો. ચિત્રકારોએ રાજાને વિનંતિ કરી અને યક્ષના વરદાનની વાત કહી તેને છેડાવ્યો. ચિત્રકાર કૌશામ્બી છાડી વતી ગયો. તેણે શતાનિકનું' વૈર લેવા નિશ્ચય કર્યાં. મૃગાવતીનુ' આબેહૂખ ચિત્ર ચડપ્રધોત આગળ ધર્યું, ચપ્રદ્યોત કામવિહ્વળ બન્યો. તેણે દ્વારા શતાનીક પાસે મૃગાવતીની માગણી કરી. શતાનીકે ચ’પ્રદ્યોતના કૃતને તરછેાડયો. ચડપ્રઘાત કૌશામ્બી ઉપર ચઢી આવ્યો. પણ લોઈ દરમિયાન શતાનીક અતિસારના રોગથી મૃત્યુ પામ્યો. મૃગાવતીને રાજ્ય સંભાળવાની અને પુત્રને સાચવવાની બેવડી જવાબદારી માથે આવી પડી. મૃગાવતીએ યુક્તિ રચી ચ’પ્રદ્યોતને કહેવરાવ્યુ કે, હું તમારી છું પણ મારી એક વિતિ છે કે ઉદાયનકુમાર માટે થાય અને રાજ્ય સંભાળે ત્યાં સુધી તમે થાભી જાવ અને કોઈ ઉદાયનના ખાળપણના લાભ લઈ કૌશાંબી ઉપર ચડી ન આવે તે માટે તેને ધનધાન્ય અને ગઢથી પરિપૂર્ણ કરી રક્ષણ કરે.' કામી 'પ્રદ્યોતે સાચુ' માન્યું અને સાથે એમ પણ માન્યું કે 'સ્ત્રીઓને મળાત્કારે વશ કર્યો કરતાં પેાતાની મેળે વશ થાય તે સારૂં છે.' આથી ધનધાન્યથી કૌશામ્મીને પૂર્ણ કરી. ચડપ્રદ્યોત અવંતી ચાલ્યો ગયો. આ અરસામાં શ્રમણ ભગવાન મહાવીર કૌશામ્બી પધાર્યા. મૃગાવતી ઉદાયનકુમાર તથા શતાનિકની બેન જયતી દેશના સાંભળવા ગયાં. દેશનાભાઇ જયતીએ અઢાર પાપ સ્થાનક, ભવસિદ્ધ, અલવાન અને નિલ વિગેરે ઉપર અનેક પ્રશ્નો પૂછી ઉત્તર મેળવી વૈરાગ્ય પામી ચંદનમાળા પાસે દીક્ષા અંગીકાર કરી. શુદ્ધ ચારિત્ર પાળી જય'તી નિર્વાણુપદ પામ્યાં.+ આ પછી દીક્ષાના વીસમા વર્ષ માં ભગવાન જ્યારે ફરી કૌશામ્બી પધાર્યા અને દેશનાં આપી ત્યારે આ દેશનાથી ચઢપ્રદ્યોતની વિષયવાસના સમી. અને મૃગાવતીએ ઉદાયનપુત્રને સંભાળવાનું તેને સોંપી ચંદનમાળા પાસે દીક્ષા લીધી. એક વખત સૂર્ય ચંદ્ર મૂળ વિમાને ભગવંતને વંદન કરવા આવ્યા. ચંદનમાળા ચાલી ગઈ. મૃગાવતી સૂર્ય ચંદ્ર જતાં અધારૂં થતાં ઉપાશ્રયે આવી. ચંદનખાળાએ ઠપકો આપ્યા કે આવી રીતે મેડા આવવું શાલે નહિ. મૃગાવતીને ભૂલથી પશ્ચાતા પ કરતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. અને રાત્રે સર્પ જતા દેખી, તેણે કહ્યું આ સર્પ જાય છે.' ચંદનમાળાએ પૂછ્યું' તને શી રીતે ખખ્ખર પડી ?′ મૃગાવતીએ કહ્યુ ‘જ્ઞાનથી’ ‘કયા જ્ઞાનથી.?” તે જવામમાં મૃગાવતીએ કહ્યું કેવળજ્ઞાનથી.’ ચંદનમાળા પણ પશ્ચાતાપ કરવા લાગ્યાં અને તેમને પણ કેવળજ્ઞાન થયું. સુપ્રતિષ્ઠ અને સુમનાલ, કૌશાંખીથી વિહાર કરી ભગવાન શ્રાવસ્તી નગરીમાં પધાર્યાં. અહીં સુઅને ભદ્ર અને સુપ્રતિષ્ઠ નામના ગૃહપતિએ ભગવાનની વાણી સાંભળી સંસાર તજી દીક્ષા અગીકાર કરી. દીક્ષા માદ ગુણુરત્નસંવત્સર વિગેરે અનેક ‘ તપશ્ચર્યાં કરી અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્વી આ! અને મહાવિદેહક્ષેત્રમાં જન્મી મુકિત પદ પામશે. ' * ભગવતી શ્રુતક ૧૨ ઉદ્દેશ ૨
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy