________________
[ ૧૨૦ ] -
શ્રી કપૂરવિજયજી કષાયાદિકથી દોષિત જીવને તે તે દેષથી નિવર્તાવારૂપ દેશનિવર્તન વિનય સદા મંગળકારી છે. '
૨. ગચ્છ સમુદાયને સારણ–વારણાદિક શિક્ષા દેવામાં સાવધાન રહેનારા ગીતાર્થ ગુરુ જાણવા. તે સિવાય શિષ્યનું ફેગટ લાલન-પાલન કરનાર ગમે તેવા ગુરુ કલ્યાણકારી નથી..
૩. ભવ-ભયથી શરણે આવેલા સાધુઓને જે હિતશિક્ષા દેતા નથી, તેની ઉપેક્ષા કરતા રહે છે તેને શરણે આવેલાઓનું અહિત કરનાર જાણું પરિહરવા એગ્ય છે.
૪. શિષ્યના દેશે નિવારવામાં ન આવે તો તે બાપડા સંસાર-સાગરમાં ડૂબે છે અને તેમના દોષનું નિવારણ કરવાથી તેઓ સંસાર તરી જાય છે ને અક્ષય સુખ મેળવે છે. "
૫. સન્માર્ગનું સ્મરણ કરવારૂપ સારણું, અસદુમાર્ગથી નિવારવારૂપ વારણ, મિષ્ટ–મધુર વચનથી સંચમમાર્ગમાં પ્રેરવારૂપ ચાય, તેમ છતાં ન માને તો કઠણ વચનથી પણ હિતમાર્ગમાં પ્રવર્તાવવારૂપ પરિચયણે જે ગચ્છમાં કરવામાં ન આવે તે ગચ્છને અગચ્છરૂપ નિસાર સમજી, સંયમના અથી સાધુઓએ તેનો ત્યાગ કરી બીજા સારા સુવિહિત ગચ્છમાં જઈ વસવું અને નિર્મળ રીતે સંયમમાર્ગનું પ્રતિપાલન કરવું. '
૬. ગચ્છની ઉપેક્ષા કરનાર ગુરુ દીર્ધકાળ સંસાર પરિભ્રમણ કરે છે અને વિધિવત્ ગચ્છનું સારણાદિકવડે સંરક્ષણ કરનાર ત્રીજે ભવે સિદ્ધિપદ પામે છે, એમ ભગવતી સૂત્રમાં કહ્યું છે. . ૭. શિષ્યનું સ્વરૂપ–લક્ષણ-સુશિષ્ય ગુરુમહારાજના આશયના જાણુ, કેર, ઉપશાન અને કઈ રીતે કુળવધૂની