SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ પવચન-૧ : ૧૪૩ પરલેકમાં ક્યાં જશે ? ફરીને પાછા ૮૪ બ ચેનિના ચકકરમા તે ચકરાવું નહિ પડે ને?? આત્મચિંતા થાય છે ખરી? આવી આત્મચિંતા તમને થાય છે? મકાનમાં લાઈટ-ફીટીગ ઐરાવ્યું, મીટર પણ લગાડયું, ક્વીચ પણ એપન કરે છે, પરંતુ લાઈટ ન થાય તે “કેમ લાઈટ નથી થતી કે તેની ચિંતા કરે છે ને ? ત્યારે વિચારે છે ને કે ફિટિંગ તે બધું જ કરાવ્યું છે, મીટર પણ લગાડયું છે, છતાંય લાઈટ કેમ નથી થતી? ગરબડ કયાં છે? ત્યારે ઈલેકટ્રયનને બોલાવે છે ને તેને બતાવીને પૂછે છે ને કે લાઈટ કેમ નથી થતી? લાઈટ થાય તેવું કરી દે ઈલેકટ્રીશ્યન ફીટીંગને બરાબર જોઈને કહે છે કે “ભલા માણસ ! લાઈટ કેવી રીતે થાય? પાવર હાઉસ સાથે હજી કનેકશન કયાં લીધું છે? માની લે કે કનેકશન લીધું છે, પરંતુ જે લાઈટ ફીટીંગ બરાબર નહિ હોય તે પણ લાઈટ-પ્રકાશ નહિ થાય! ગરબડ કયાં છે તે છે. વર્ષોથી તમે ધર્મ ક્રિયાઓ કરે છે, છતાંય આમામા હજી જ્ઞાનપ્રકાશ થયે નથી, જીવનમંદિરમાં અંધારું જ અંધારુ છે ત્યારે તમને ઘેરી ચિંતા થવી જોઈએ. થાય છે ચિંતા? તમારે આત્મા તરફ તમે કયારેય નજર કરે છે ખરા ? આખી દુનિયાને જુએ છે પણ ખૂદ તમારા આત્માને જ નથી જતા ! બુદ્ધિશાળી છે કે બુધુ છે ? રૂપિયાની ફાટેલી નોટની ચિંતા થાય છે અને મૂલ્યવાન આત્માની ચિંતા જ નથી થતી ! આટલી બધી ઘેર લાપરવાહી? યાદ ખે, તમે પિતે ખૂદ તમારા આત્માની ચિંતા નહિ કરે તે દુનિયાની કઈ જ વ્યક્તિ–ખૂદ તીર્થંકર પરમાત્મા પણ તમારો ઉદ્ધાર નહિ કરી શકે. ગંભીરતાથી વિચારે કે આજે તમારા આત્માની શી સ્થિતિ છે? ધર્મક્રિયાઓ કરે છે, છતાંય તમારા જીવનવ્યવહારમાં અને મનના વિચારમાં પ્રકાશ ફેલાયે? ના ત્યાં તે બધે કાળું અંધારું જ અંધારું છે. તપાસે, પરમાત્માના પાવર હાઉસ સાથે કનેકશન તે સલામત છે રે ?
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy