________________
અધ્યાય ૭-સૂત્ર ૮
૨૯૩ કહેવાવા છતાં દેષકેટિમાં આવી ન શકે. આ રીતે હિંસક સમાજમાં અહિંસાના સંસ્કારને ફેલાવો થતાં અને તેને લીધે વિચારવિકાસ થતાં દોષરૂપ હિંસા માટે માત્ર પ્રાણુનાશ એટલો જ અર્થ બસ ન ગણાય અને તેમાં પ્રમત્તયોગ એ મહત્વને અંશ ઉમેરો.
પ્ર–હિંસાની આ વ્યાખ્યા ઉપરથી પ્રશ્ન એ થાય છે કે જે પ્રમત્તાગ વિના જ માત્ર પ્રાણવધ થઈ જાય તો તે હિસા કહેવાય કે નહિ? તેવી રીતે જે પ્રાણવધ થવા ન પામ્યું હોય અને છતાં પ્રમાણ હોય તે પણ હિસા ગણાય કે નહિ? જે એ બંને સ્થળે હિંસા ગણાય, તે તે હિંસા પ્રમતગજનિત પ્રાણવધરૂપ હિંસાની કેટિની જ કે તેથી જુદા પ્રકારની
ઉ–માત્ર પ્રાણવધ સ્થૂલ હેઈ દશ્ય હિંસા તો છે જ અને માત્ર પ્રમત્તગ એ સૂક્ષ્મ હોઈ અદશ્ય જેવો છે. એ બંનેમાં દશ્યપણું-અદશ્યપણના તફાવત ઉપરાંત એક બીજો મહત્વને જાણવા જેવો તફાવત છે અને તેના જ ઉપર હિંસાના દેવપણું અને અષપણાને આધાર છે. પ્રાણનાશ એ દેખીતી રીતે હિંસા હોવા છતાં તે દેષ જ છે એ એકાન્ત નથી; કારણ કે તેનું દેષપણું સ્વાધીન નથી. હિસાનું દોષપણુ એ હિસકની ભાવના ઉપર અવલંબેલું છે, તેથી પરાધીન છે. ભાવના જાતે ખરાબ હોય તો તેમાંથી થયેલો પ્રાણવધ તે દેષરૂપ છે; અને ભાવના તેવી ન હોય તે એ પ્રાણવધ દેષરૂપ નથી; તેથી જ શાસ્ત્રીય પરિભાષામાં આવી દેવરૂપ હિંસાને દ્રવ્યહિસા અથવા વ્યાવહારિક હિંસા કહેવામાં આવી છે. દ્રવ્યહિસા યા વ્યાવહારિક હિંસાને અર્થ એટલો