SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ તરવાથસત્ર ત્યાગીઓ ગમે તેવું કઠેર વ્રત પાળી દુઃખ વહેરે છે પણ તે ધ કે બીજી તેવી દુષ્ટ લાગણીથી નહિ પણ સદ્દત્તિ અને સદ્દબુદ્ધિથી પ્રેરાઈને જ. તેઓ કઠણ વ્રત લે છે ખરા; પણ ગમે તેવા દુઃખને પ્રસંગ આવવા છતાં તેમનામાં ક્રોધ, સંતા- . પાદિ કષાય ન થતા હોવાથી એ પ્રસંગે તેમને માટે બંધક નથી બનતા. બીજું કારણ એ છે કે, ઘણીવાર તે એવા ત્યાગીઓને કરતમ વ્રતનિયમો પાળવામાં પણ વાસ્તવિક પ્રસન્નતા હોય છે અને તેથી તેવા પ્રસંગમાં તેમને દુઃખ કે શેક આદિને સંભવ જ નથી. એ તે જાણીતું છે કે, એકને જે પ્રસંગમાં દુઃખ થાય. તે જ પ્રસંગમાં બીજાને દુઃખ થાય. જ એવો નિયમ નથી. તેથી એવાં વિષમ વનો પાળવામાં પણ માનસિક રતિ હોવાથી એમને માટે એ દુઃખરૂપ ન હતાં સુખશ્ય જ હોય છે. જેમ કેઈ દળાણુ વૈધ વાઢકાપથી કેઈને દુઃખ અનુભવાવવામાં નિમિત્ત થવા છતાં તે કરુણાવૃત્તિથી પ્રેરાયેલ હોવાને લીધે પાપભાગી નથી થતું, તેમ સાંસારિક દુઃખ દૂર કરવા તેના ઉપાયોને પ્રસન્નતાપૂર્વક અજમાવતે ત્યાગી પણ સદ્ગતિને લીધે પાપબધક નથી ને. [૧] સાતિવય મન વધતુઓનું સ્વરૂપઃ ૧. પ્રાણીમાત્ર ઉપર અનુકપા કરવી, તે “ભૂતાનુકપા' (બીજાના દુ:ખને પિતાનું માનવાથી થતી લાગણું તે “અનુકંપા'). ૨. “ત્યનુકંપા” એટલે અલ્પાબે વ્રતધારી ગૃહસ્થ અને સર્વીશે વ્રતધારી ત્યાગી એ બંને ઉપર વિશેષ પ્રકારે અનુકંપા કરવી તે. ૩. પિતાની વસ્તુનું બીજા માટે નમ્રપણે અર્પણ કરવું, તે દાન'. ૪. “સરાગસંયમાદિ ગ” એટલે સરાગસંયમ,
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy