________________
૧૩૮
તત્ત્વાર્થસૂત્ર
સ્વર્ગ સુધી જ દેવીએની ઉત્પત્તિ છે, એની ઉપર નથી; એથી જ્યારે તેએ ત્રીજા આદિ ઉપરના સ્વર્ગમાં રહેતા દેવાને વિષયસુખને માટે ઉત્સુક અને તે માટે તેને પેાતા તરફ આદરશીલ જાણે છે, ત્યારે ઉપરના દેવાની પાસે પહેાંચી જાય છે. ત્યાં પહેાચતાંની સાથે જ એના હાથ આદિના માત્ર સ્પથી ત્રીજા-ચોથા સ્વર્ગના દેવાની કામતૃપ્તિ થઈ જાય છે; એમના શણગારસજ્જિત મનેાહર રૂપને જોઈને જ પાંચમા-છઠ્ઠા સ્વર્ગના દેવાની કાસલાલસા પૂર્ણ થઈ જાય છે, આ રીતે એમના સુંદર સંગીતમય શબ્દને સાંભળીને જ સાતમા-આઠમા સ્વર્ગના દેવા વૈષયિક આનંદના અનુભવ કરી લે છે. દેવીએ આઠમા સ્વર્ગ સુધી જ પહોંચી શકે છે, આગળ નહિ. નવમાથી ખારમા સ્વર્ગના દેવાની કામસુખતૃપ્તિ ફક્ત દેવીઓના ચિંતન માત્રથી જ થઈ જાય છે. બારમા સ્વથી ઉપરના દેવા શાંત અને કામલાલસારહિત હૈાય છે; એથી એમને દેવીએના સ્પ, રૂપ, શબ્દ અથવા ચિંતન દ્વારા કામસુખ ભાગવવાની અપેક્ષા રહેતી નથી; અને તેમ છતાંયે તે અન્ય દેવાથી અધિક સંતુષ્ટ અને અધિક સુખી હેાય છે. તેનું કારણ સ્પષ્ટ છે. જેમ જેમ કામવાસનાની પ્રબળતા, તેમ તેમ ચિત્તના ક્ષેશ અધિક; તથા જેમ જેમ ચિત્તના ક્લેશ અધિક તેમ તેમ તેને મટાડવા માટે વિષયભાગ પણ અધિકાધિક જોઈએ. ખીજા સ્વર્ગ સુધીના દેવાની અપેક્ષાએ ત્રીજા, ચેાથાની અને તેમની અપેક્ષાએ પાંચમા, છઠ્ઠાની એ રીતે ઉપરઉપરના સ્વર્ગના ટ્વેની કામવાસના મંદ હાય છે, એથી એમના ચિત્તસંક્લેશની માત્રા પણ કમ હેાય છે, તેથી જ એમના કામભાગનાં સાધન