________________
તત્વાર્થસૂત્ર માફક આંખ અને એ વસ્તુનું ચગ્ય સન્નિધાન જોઈએ. આથી પહુક્રમમાં સૌથી પ્રથમ અથવગ્રહ માન્યો છે.
મંદમિક જ્ઞાનધારામાં વ્યંજનાવગ્રહને સ્થાન છે, અને પટુક્રમિક જ્ઞાનધારામાં નથી. એથી એ પ્રશ્ન થાય છે કે વ્યંજનાવગ્રહ કઈ કઈ ઈદ્રિયથી થાય છે અને કઈ કઈથી નહિ. આને ઉત્તર પ્રસ્તુત સૂત્રમાં આપે છે. નેત્ર અને મનથી વ્યંજનાવગ્રહ થતું નથી, કેમ કે એ બન્ને સાગ વિના જ માત્ર એગ્ય સન્નિધાનથી અથવા અવધાનથી પતિપિતાના ગ્રાહ્ય વિષયને જાણે છે. આ કેણ જાણતું નથી" કે દૂર દૂર રહેલાં વૃક્ષ, પર્વત આદિને નેત્ર ગ્રહણ કરે છે અને મન સુદરવતી વસ્તુનું પણ ચિંતન કરે છે; આથી નેત્ર તથા મન અપ્રાકારી મનાય છે. અને એનાથી ઉત્પન્ન થતી જ્ઞાનધારાને પહુક્રમિક કહી છે. કર્ણ, જિવા, ધ્રાણુ અને સ્પર્શન એ ચાર ઈદ્રિય મંદાક્રમિક જ્ઞાનધારાનું કારણ છે, કેમ કે એ ચારે પ્રાપ્યકારી અર્થાત ગ્રાહ્ય વિષય સાથે સંયુક્ત થઈને જ એમને ગ્રહણ કરે છે. એ સૌ કોઈને અનુભવ છે કે જ્યા સુધી શબ્દ કાનમાં ન પડે, સાકર જીભને ન અડકે, પુષ્પનાં રજકણ નાકમાં ન પેસે અને પાણી શરીરને ન અડકે
ત્યાં સુધી શબ્દ નહિ સંભળાય, સાકરને સ્વાદ નહિ આવે, ફૂલની સુગંધ નહિ જણાય અને પાણી ઠંડું છે કે ગરમ એની ખબર નહિ પડે.
પ્ર–મતિજ્ઞાનના કુલ કેટલા ભેદ થયા? ઉ –૩૩૬, પ્ર–કેવી રીતે?