________________
દેખાય છે કે, પ્રજ્ઞાપના સૂત્રના કતી શ્યામાચાર્યના ગુરુ હારિતગોત્રીય “સ્વાતિ' એ જ તત્વાર્થસૂત્રના પ્રણેતા ઉમાસ્વાતિ છે. આ બંને પ્રકારની માન્યતાઓ પ્રમાણભૂત આધાર વિનાની હેઈ, પાછળથી પ્રચલિત થયેલી જણાય છે; કારણ કે દશમા સૈકા પહેલાંના કેઈ પણ વિશ્વસ્ત દિગબરીય ગ્રંથ, પદાવલી કે શિલાલેખ આદિમાં એ ઉલ્લેખ જોવામાં નથી આવ્યો કે જેમાં ઉમાસ્વાતિને તત્વાર્થસૂત્રના રચનાર કહ્યા હોય, અને તે જ ઉમાસ્વાતિને કુંદકુંદના શિષ્ય પણ કહ્યા હેય. આવી મતલબવાળા જે ઉલેખો દિગંબર સાહિત્યમાં
-
-
-
-
-
-
--
बलिस्सहस्य शिष्य: स्वातिः, तत्त्वार्थादयो प्रन्थास्तु तत्कृता एव संभाव्यन्ते । तच्छिष्यः श्यामाचार्यः प्रज्ञापनाकृत् श्रीवीरात् षट्सप्तत्यધિશ (૨૬) મા !”—મસાગરીય લિખિત પઢાવલી.
૧. શ્રવણ બેલ્ટેલના જે જે શિલાલેખેમાં ઉમાસ્વાતિને તત્વાર્થના રચયિતા અને કુદક દના શિષ્ય કહ્યા છે, તે બધા જ શિલાલેખે અગિયારમા સૈકા પછીના છે. જુઓ “જેનશિલાલેખ સંગ્રહ” [માણેકલાલ પાનાચંદ ગ્રંથમાલા પ્રકાશિત) લેખ નં. ૪૦, ૪૨, ૪૩, ૧૪૭, ૫૦ અને ૧૦૮
નદિધની “પટ્ટાવલી” પણ બહુ જ અપૂર્ણ અને ઐતિહાસિક તથ્ય વિનાની હેઈ, તેના ઉપર પૂર આધાર રાખી શકાય તેમ નથી. વળી તે બહુ પ્રાચીન પણ નથી, એમ ૫૦ જુગલકિશોરજીએ પોતાની પરીક્ષામાં સિદ્ધ કર્યું છે. જુઓ “સ્વામી સમંતભદ્ર” પૃ૦ ૧૧૪ થી. તેથી એ અને એના જેવી બીજી પટ્ટાવલીઓમાં મળતા ઉલેખને પણ બીજા વિશ્વસ્ત પ્રમાણુના આધાર સિવાય એતિહાસિક માની શકાય નહિ.