SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩૪ની સાલમાં સનંદ મળી ને તે દિવસથી જ એક ઉચ્ચ કક્ષાના ધારાશાસ્ત્રી તરીકેની જ્વલંત કારકીર્દી શરૂ કરી. ૧૯૪૬ની સાલમાં ચેમ્બર ખુન ખટલામાં શ્રી. કે. કે. શાહે આરોપીઓનો ખૂબ સરસ બચાવ કર્યો અને તેમની પ્રશંસા ન્યાયાલયના ક્ષેત્રમાં ચારે તરફ ફેલાઈ. . . . . ' ' ' ૧૯૩૮માં “નગીના ભજીદ રાયટ' નામના કેસમાં સરદાર પટેલે આ વિલક્ષણ ધારાશાસ્ત્રીને કાર્ય સંપ્યું અને એમણે એ કાર્ય સુંદર રીતે પાર પાડ્યું. " ૬oo રજવાડાઓને એકત્રિત કરવાના સમયે સરદાર વલભભાઈ પટેલને મદદ કરનાર શ્રી કે. કે. શાહ જ હતા. વડોદરાના મહારાજાના સલાહકાર તરીકે શ્રી શાહે અનુપમ સેવાઓ બજાવી છે. ૧૯૪૮ની સાલમાં મહારાજા ગાયકવાડના સલાહકાર બન્યા. તેઓ વડોદરા રાજ્યના કલ્યાણ અને રાજ્યના વિકાસ માટે સ્થપાયેલા અઢી કરોડની સર સયાજીરાવ ડાયમંડ જ્યુબીલી અને મેમેરીયલ ટ્રસ્ટને માનદ ટ્રસ્ટી છે. બરડા રેન કેરપરેશનની સ્થાપના કરવાની વિચારસરણી એમની જ હતી. - જ્યારે ૬૦૦ રજવાડા એકત્રિત કરવાનો સમય આવ્યો, ત્યારે -વડેદરાના મહારાજાને સમજાવી સરદાર પટેલને મદદ કરનાર શ્રી. કે. કે. શાહ જ હતા. એવા ઉચ્ચ કાર્ય માટે શ્રી. વી. પી. મેનને “ધી ઈન્ટીગેશન એફ ધી સ્ટેટ” નામના પુસ્તકમાં એમની ભારે પ્રસંશા કરી છે. - જ્યારે સીતાદેવી વડોદરાના મહારાજા સાથે છૂટાછેડા લઈ કરડે રૂપીયાનું ઝવેરાત લઈ યુરોપ ગયા હતા, ત્યારે દેશની આ કિંમતી દોલતને પાછી મેળવવા માટે શ્રી સરદાર પટેલે શ્રી શાહને યુરેપ મોકલાવ્યા હતા. શ્રી શાહે ખૂબ જ કુશળતાપૂર્વક આ કાર્યને સફળ
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy