________________
અહં”—હું માની બેઠે છે! જ્ઞાનાદિ આત્મસંપત્તિને બદલે કાયાનાં સુખ-સગવડ અને તત્સંબંધી જડ–ચેતનને “મમ— મારા” કલ્પી બેઠે છે! આ “અહું “મમના અયોગ્ય સ્થાનને લીધે જ જડ પ્રત્યે અનાસક્ત રહેવાને બદલે આસક્તિભર્યો રહ્યો છે. પછી જડની આસક્તિમાં જડહિત સાધવા અથે જડની ધંધમાર પ્રવૃત્તિ અવિરતપણે કર્યો જાય એમાં શી નવાઈ? આશ્ચર્ય તો એ છે કે એથી કપરાં દુસહ દુઃખદ ફળમાં અનંતાનંત કાળથી વિડંબાવાં છતાં એ અંધકાર–ચેષ્ટાથી હજી થાક્યો નથી ! અરે ! તવાંધકારને લીધે હજી એમાં કશું અજુગતું એને લાગતું નથી ! પછી એ અહં–મમનાં સ્થાપન શાને રદ કરે? વિટંબણામય કર્મબંધનથી શે મૂકાય?
તને અંધકાર :
આહાહા ! કેવી દુઃખદ દુર્દશા ! અનંત પ્રકાશ અને અનંત સામર્થ્યને ધણું આત્મા નિજની અનંત શુદ્ધ સમૃદ્ધિ પુનર્વસ્તગત થવાની આડે ઉભેલા અસત્ “અહં–મમ” યાને અજ્ઞાન અને મોહ જેવા કારમા શત્રુને જ અંધકારવશ જ્યાં કલ્યાણમિત્ર માની છેડવા તૈયાર ન હાય, ઉલટું જન્મોજન્મ એને જ આદરવાનું અને તેથી એના ફળસ્વરૂપે ઊંડા અંધકારમય પ્રદેશમાં વિહરવાનું ચાલુ રાખે, ત્યાં ઉચ્ચ પ્રકાશમય અનંતાનંત સ્વરૂપને ક્યાંથી પામે ? અનાદિથી ચાલી રહેલી અવળી ચાલે ચાલવાનું સર્વથા બંધ કરાય તે જ અનંત સુખના ધામભૂત આત્માની મુક્તિનું પરમપદ પ્રાપ્ય છે. તો જ અનાદિથી ઘોર તિમિરાદિત જન્મમરણની ગુફા પાર કરીને