________________
પ્રયા–ફલસૂત્રમ્ |
૪૪૭ પ્ર-આધાર વિના કેવી રીતે સ્થિતિ હોય? કેવી રીતે વતુસત્તા હોય ?
ઉ૦-જેમ બીજા કેઈ આધારમાં આકાશ નથી રહેતું; છતાં એની સત્તા છે, તેમ સિદ્ધ ભગવાન અંગે સમજવું. આમાં ચુક્તિ પણું છે. * એક સત્ પદાર્થની સત્તા (સ્થિતિ) કદાપી બીજા સત્ પદાર્થ સ્વરૂપ નથી બનતી કદી ય જડ ને ચેતન નથી બનતું, અને ચેતન દ્રવ્ય એ જડ નથી બનતું. અર્થાત્ એ સત્તા તદ્દન પલટાઈ બીજા જ રૂપે નથી બનતી; એટલે કે ભાવ એ તદ્દન અભાવ નથી બનતો; એમ એ બીજી જ તદ્દન વિલક્ષણ વસ્તુ નથી બની જતી. દા. ત. દ્રવ્ય દ્રવ્ય મટીને ગુણ નથી બનતું. તેવી રીતે કઈ વસ્તુ બીજીમાં નથી રહેતી; પિતાના સ્વરૂપમાં જ રહે છે. જે એક વસ્તુ બીજીમાં રહી શકતી હોય, તે પ્રશ્ન થાય કે એમાં સર્વાશે રહે કે દેશથી (અંશે) રહે? સર્વાશે રહે તે તદ્રુપ બની જાય; તેના ગુણ-પર્યાય એ પોતાના બની જાય, કેમકે તમે સર્વાશે એટલે બધી જ રીતે રહેવાનું માન્યું છે. દેશથી રહે તો પા પ્રશ્ન થાય કે એ દેશ સર્જાશે રહે કે દેશથી? એમ અનવસ્થા ચાલવાથી તત્વ-નિર્ણય જ ન થાય તેથી માનવું પડે કે વસ્તુમાત્ર બીજામાં ન રહેતા, પોતાના સ્વરૂપમાં જ રહે છે,
આ પ્રસ્તુત વિષય અચિત્ય છે એના રહસ્યને કેવળજ્ઞાની સર્વજ્ઞ જેઈ જાશુ શકે છે. એ નિશ્ચય–નયને અભિપ્રાય છે. વ્યવહારનયનો મત તે બીજી રીતે છે અર્થાત્ એ મતે એક વસ્તુ બીજી આધાર વસ્તુમાં સંગ પામીને રહે છે. એ સ્પષ્ટ અનુભવાય છેઆમ હોવા છતા સિદ્ધોને આકાશ સાથે સંગ