SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૭ ટીકાકારે લખ્યા મુજબ “તતતત્ત્વનું એટલે કે ભોગક્રિયાના શુદ્ધ આન દદાયી રવરૂપનું જે સ ફલેશાદિજન્ય ખડન,’ એ ક્રિયાની અસ પૂર્ણતામાં હેતુ બની શકે આ ન સમજવાથી પ્રોફેસરે મૂળ ગ્રંથમાં પણ હેતુદર્શક આ પદને પૂર્વથી છુટું પાડી નવા ફકરામાં મૂકવાની ભૂલ કરી છે તેમજ પૂર્વોક્ત અસ પૂર્ણતાના હેતુને ય તદ્દન વીસરી જવાની ભૂલ કરી ! - (૨૬) “સાખ્યદર્શનના પ્રકૃતિ–પુરુષ મતને જૈનદર્શનના કર્મ આભા મત સાથે નિકટ મેળ છે,” એવું લખનાર પ્રો. એ ભૂલે છે કે બે વચ્ચે મહાન અતર છે સાળ્યો પુરુષને કુટસ્થનિત્ય, અબદ્ધ, અમુક્ત, અજ્ઞાન, અસુખી માને છે જેનો આત્માને પરિણામી, બદ્ધમુક્ત, અન તજ્ઞાની, અનંત સુખી માને છે. સાખો પ્રકૃતિને જગતનું ઉપાદાન કહે છે “પ્રકૃતિનો પરિણામ એ જ પચભૂત, અને ઇન્દ્રિયો વગેરે જગત,” એમ એ કહે છે ત્યારે જેને જગતની વિવિધ રચનાઓમાં કર્મને માત્ર નિમિત્ત કારણ માને છે, બાકી જગતનું કલેવર તો જુદા જુદા દ્રવ્યોનું બનેલું કહે છે સાપે જડ પ્રકૃતિના પરિણામમાં જ્ઞાન, ઈચ્છા, વગેરે ધર્મો માને છે ત્યારે જેને જડ કર્મના આવા ધર્મો નથી માનતા, સાંખે સદા શુદ્ધ મુક્ત પુરુષનેય મેક્ષ પુરુષાર્થ જરૂરી માને છે જેને બદ્ધ આત્માને જ એ જરૂરી, મુક્તને નહિ એમ કહે છે કે મહાન તફાવત ! (૨૭) દિક્ષાના પ્રસ ગના સૂત્રોને પ્રો. ગૂઢ અને ગુચવણભર્યા માની એને સ્પષ્ટ ન સમજી શકે, એ તો ઠીક, પણ ટીકાકાર મહર્ષિનેય પોતાની સમજણ માટે સહાય ન કરી શકવાનુ, અર્થાત ન સમજી શકવાનું કહે, એ અજ્ઞાન બચુ બાપને અજ્ઞાન કહે, એના જેવું છે. ટીકાકારે કેવી સરસ સ્પષ્ટતા કરી છે, એ આગળ વિવેચન – થના પૃષ્ઠમાં જુઓ (૨૮) = apજીડગુવાર નો અર્થ સ્પષ્ટ છે સ સાર સત છે એનો સર્વથા ઉચ્છેદ જે થઈ શકે, તો તદ્દન અસત્ સ સારની ઉત્પત્તિ ય ન થઈ શકે એવુ નહિ, અર્થાત થઈ શકે. જે સને સર્વથા વિનાશ
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy