________________
૧૯૮
અકલ્યાણ
પર દુરાચારીના ઘાતક, હિતાયાણમિત્ર
માટેની ગ્યતા કેળવવા છઠ્ઠી વસ્તુ આ છે કે “અકલ્યાણમિત્રોનો સંપર્ક ત્યજવો.” “અકલ્યાણમિત્ર એટલે સામાના આત્માના કલ્યાણના ઘાતક, હિતશત્રુ, દા. ત. જુગારી વ્યસની ચોર દુરાચારી વગેરે મિત્ર બનીને સામાને એ જ જુગાર વગેરેનો રસિયા બનાવી આત્મહિતનો મહા ઘાત કરે છે, માટે
એ અધર્મમિત્ર છે. એમ જે જઠડફાણુ, નિંદા, કુથલી, પાપભાષા, વિશ્વાસઘાત વગેરેમાં પ્રેરે છે, હિંસક ક્રિયાઓમાં તાણે છે, ક્રોધ-મદ-માન-માયા-કપટ–તૃણા–મમતા વગેરે કષાયમાં જે ઘસડી જાય છે, અભક્ષ્યભક્ષણ–અસેવ્યસેવન–અપ્રશસ્યપ્રશંસાદિના જે પ્રેરક બને છે, એ બધા અકલ્યાણમિત્ર છે. ટૂંકમાં પરલેક બગાડે એવા દેષ-દુષ્કૃત્યમાં, જડના રંગરાગમાં અને આહાર-વિષયપરિગ્રહાદિ સંજ્ઞાઓની ગુલામીમાં જે ફસાવનારા છે, પછી તે ચાહે મવાલી મિત્રના રૂપમાં હોય કે વ્યવહારથી સગાસ્નેહી–પાડેલીના યા ઉપદેશક ગુરુના લેબાશમાહોય, અરે! માબાપ, પતિ-પત્ની કે પુત્રના રૂપમાં હોય, પણ જે એ ભયંકર મેહની પરિણતિ જ વધારતા હોય, બાહ્યભાવને નશે જ ખીલવતા હોય, ને સંસાર–રસિકતા જ પિષતા હોય, તો એ અધર્મમિત્રો છે. એક બાજુ જીવ શ્રાવકનાં વ્રત તો લે, પણ બીજી બાજુ અકલ્યાણમિત્રોને સંબંધ ને છેડે તો કઈ દુર્દશા પામે એ વિચારે.
પ્રશ્ન-તે શું એવા અકલ્યાણમિત્રની ગરજ સારતા સગાસ્નેહીને મૂકી દેવા?
ઉત્તર :-ઉત્તમ માર્ગ તો એ છે કે સંસારમાં જે કોઈ અકલ્યાણમિત્ર છે, તે સર્વને સર્વથા ત્યાગ કરવો. પણ તે જે ન બને તો તેવા સગાંસ્નેહીઓને કલ્યાણમિત્ર બનાવવા. “જે ઉચ્ચ