________________
ક૭
પૂર્વધર મહર્ષિઓ પણ યથાસ્થિત વસ્તુવાદી છે તે અહીં નથી લેવા, માટે વીતરાગ વગેરે વિશેષણ મૂક્યા. પૂછે કે “ભલે ને એ પણ સાથે સાથે સ્તવાય તો વાંધો છે ? પૂને સ્તવવાનું તે સારું જ છે પરંતુ એમાં વિવેક એ છે કે સર્વત્ર ગુણોની પરાકાષ્ઠા જેમનામાં હોય તે મુખ્યપણે સ્તવવા ગ્ય હોય છે. વળી ઉત્કૃષ્ટ ગુણની સ્તુતિ કરી, એટલે એ ગુણોની અતર્ગત સમાન અવાનર ગુણોની સ્તુતિ તો આવી જ ગઈ, –માત્ર એ ન્યાય બતાવવા અલગ રીતે બીજા મહષિ ન લીધા, પણ નહિ કે ખાસ એમને બાદ રાખવા માટે જ ન લીધા, અહીં એ પણ સમજવાનું છે, અહીં ટીકાકાર અપાયાપરામ અતિશય રાગદ્વેષ–મેહના અત્યંત ક્ષયને કહે છે, એ “વીયરાગાણું વિશેષણના રહસ્ય તરીકે છે. બાકી તો પ્રભુના વિહાર-ક્ષેત્રના સવાસો જોજનમાં મારી મરકી વગેરે ઉપદ્રવના રહિતપણાને પણ “અપાયાપરામ કહે છે. આ ચાર અતિશય સાથે અવશ્ય રહેવાવાળા –દેહની દિવ્યાતિદિવ્ય સુંદરતા, શ્વાસની સુગન્ધિતા, વગેરે બીજા પણ ઘણું અતિશય સમજી લેવા. તેથી અહીં “ચોત્રીસ અતિશય યુક્ત પરમાત્માને નમસ્કાર હે” એવું કથન થયુ.
ત્રય-ગુરુ” એ વિશેષણ સર્વ વિશેષણના અર્થને ઉપસંહાર કરે છે એમાં (૧) ત્રણે લોકના વાસી જીવોને (પાતાલ– વાસી દેવને પણ) તત્ત્વભૂત પદાર્થો કહેનાર છે માટે, (૨) ત્રણ લોકના જ કરતા અધિક ગુણ, પ્રભાવ અને ઉપકારવાળા છે માટે, અથવા (૩) ત્રણ લેકને પૂજ્ય છે માટે એ ત્રણ લોકના ગુરુ છે. તેમને નમસ્કાર હો “ભગવંત” શબ્દમાં ભગ શબ્દથી સમગ્ર એશ્વર્ય વગેરે ગુણસંપત્તિ લેવી.