________________
અવશ્ય સબીજ–ક્રિયાની પ્રાપ્તિ અને અવંધ્ય પાલન પ્રગટશે. જે પાલનના ફળરૂપે ચેડા જ કાળમાં ક્રમશઃ મુક્તિ અવશ્યભાવી બનશે, અર્થાત્ સિદ્ધ થશે.
પંચસૂત્ર જે વસ્તુનું નિરૂપણ કરે છે, તે સત્ય અને સુંદર છે, તેથી પરિણામે આત્માને અજ્ઞાન અને મેહની અંધારી અટવીમાથી અળગો કરી, ઉચ્ચ પરમાત્મ-પ્રકાશના પંથે ચઢાવી અનંત જોતિ જગાવનારું છે “પંગસૂત્રમાં કહ્યા મૂજબને ક્રમ તો દુર્લભ છે,’ એમ કહી અટકવાનું નથી, પણ મનમાં ખૂબ ઉત્સુક બનવાનું છે. જેથી આવી અતિ સુંદર દુર્લભ વાતો આ જીવનમા પમાઈ જાય, અને જીવન ધન્ય બને. મનુષ્ય ભવ અને મળેલ સામગ્રીને સફળ કરવામાં ગમારી ન ચાલે, આવડત જોઈએ; દિવાનાપણું ન નભે, સાવધાની–હોશિયારી જોઈએ. ભાવનિદ્રા નકામી, જાગૃતિ જરૂરી; વાતોથી કાંઈ ન વળે, ગુણોને ખપ કરવો પડે. જીવનમાં આ કરેલું કર્યું ગણાશે, એથી જ જન્મ–જરા–મરણાદિની જંજાળ વેઠવાનું અટકશે.
ટીકાકાર મહર્ષિ આ બધા ઉત્તમ પદાર્થોને કહેનાર શ્રી પંચસૂત્ર મહાશાસ્ત્ર ઉપર વ્યાખ્યા કરે છે તે ભગવાન મહાવીર દેવને નમસ્કાર કરીને કરે છે, સબીજ કિયાની પ્રાપ્તિ માટે ભવાભિનંદીપણાના દે ટાળવાનું ગર્ભિત સૂચન કરે છે.
અવ્યવહાર રાશિ :–ધ્યાન રાખવાનું છે કે એમણે શ્રી ગદષ્ટિસમુચ્ચ નામના શાસ્ત્રમાં આજ વાત કરી છે કે જીવ પહેલી ચગદષ્ટિમાં ત્યારે જ પ્રવેશ પામી શકે છે કે જ્યારે એ
ઘદષ્ટિમાથી બહાર નીકળે છે. ઓઘદષ્ટિ એ અનાદિ અનંતકાળથી ભવાભિનંદીપણાને અર્થાત કેવળ જડ રસિકતાને લીધે