SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ માધ્યસ્થભાવના મૂકે તો ત્યાં પણ સાક્ષીભાવ, જમાલિ ઉત્સવ પ્રરૂપણા કરે તો ત્યાં પણ સાક્ષીભાવ અને દશાર્ણલદ્ર અપૂર્વ સામયુ કરે તો ત્યાં પણ સાક્ષીભાવ. આ માધ્યથ્ય જાળવવું મુશ્કેલ છે આ યુગમાં વળી અનેક પ્રસગોમા ગૂચવાડા થતા જાય છે તેથી વધારે મુશ્કેલ છે, પણ પ્રસ ગ વગર કટી નથી અને આ મી ચીને ઝ૫લાવવા જેવો બીજો કોઈ ઉન્માદ નથી માટે શ્રીમાન વિનયવિજયજી ઉપાધ્યાયજી કહે છે તેમ तस्मादौदासीन्यपीयूपसारं वारंवार हन्त सन्तो लिहन्तु । “સતપુરુષ ઉપરનાં કારણોને લઈને દાસી ૫ અમૃતને વાર વાર આસ્વાદો. એ આસ્વાદનથી મગળમાળા વિસ્તરે છે, - ઉપેક્ષાભાવમાં પાપ કરનાર તરફ બેદરકારી રહે છે. ગમે તેવા ભય કર પાપી સબંધી હકીક્ત જાણી અથવા જોઈ એને એના કર્મ ઉપર છોડી દેવાની વૃત્તિને “ઉપેક્ષા કહેવાય પાપ કરનારને પાપમાંથી છોડાવવાનો અથવા તેને ઠેકાણે લાવવાનો અત્ર પ્રતિબંધ નથી, એ સર્વ કર્યા પછી પણ પ્રાણી પાપકાર્યમાંથી નિવૃત્ત ન થાય તો તેના તરફ બેદરકારી રાખવી એ જાણે અને એના કર્મ જાણે, આવા પ્રકારની ચિત્તવૃત્તિ થાય તેને ઉપેક્ષા કહેવામા આવે છે. ઘણી વખતે પાપની વાતો સાથે આપણને સીધો સ બ ધ હોતો નથી અમેરિકાને ચૂપમાં કોઈ ખૂની, લૂંટારા, દગાબાજી કરનારાની વાત વાચીએ તે વખતે તેના તરફ ઉપેક્ષા જ શક્ય છે, અને પાપના પ્રકારે તે એટલો છે કે તેના પ્રાણીના ભેદો કરતાં પણ વધારે ભેદી કલ્પી શકાય આ સર્વના સ બ ધમાં આપણે શું કરી શકીએ? નકામી એવી વાતની ચર્ચા કરી મનને બગાડવામાં લાભ નથી આવી સમજણ નિત્ય આચારમાં ઊતરે એ આ ભાવનાને ઉદ્દેશ છે. આ ભાવના અને મુદિતા-પ્રમોદભાવના અનુક્રમે પાપ અને પુયસ બધી વિચારણા કરે છે. પ્રમોદમાં પુય તરફ પ્રશ સા થાય છે ત્યારે આ ઉપેક્ષાભાવનામાં પાપ તરફ ઉદાસનિભાવ થાય છે. આ બન્ને ભાવનાના સ બ ધમાં છે કણીઆ પાત જલ ચગદર્શનમાં લખે છે કે-“અન્ય ભાવનામા મદિના તથા ઉપેક્ષા છે મુદિતા એટલે પ્રીતિ અને ઉપેક્ષા એટલે ઉદાસીનપણુ. પુણ્ય કરનાર જનો વિષે પ્રીતિની ભાવના તથા પાપી વિષે ઉદાસીનવૃત્તિ સાધકે રાખવી. પ્રાય લકે પુણયના ફળની ઈચ્છા રાખે છે છતા પુણ્ય કરતા નથી અને પાપના ફળની અનિચ્છા છતા પાપ કરે છે, તેથી પાછળથી “મે કેમ પુણ્ય ન કર્યું, મે ગાથી પાપ કર્યુંએ પ્રકારનો પશ્ચાત્તાપ થાય છે એ પ્રકારને પશ્ચાત્તાપ કરવાને વખત આ બે ભાવનાથી આવતું નથી કારણ કે જે સાધકની લોકો વિષે પુણ્યાત્મા તરીકે પ્રસિદ્ધિ થાય છે તે માણસની સ્વભાવથી જ પુણ્ય વિષે પ્રીતિ થવાની, તેથી અનેક વિદનો વચ્ચે પણ અડગ રહી તે ભૂલ્યા વિના પુર્ણય કરવાનો, તથા પાપી વિષે થતી ઉપેક્ષાબુદ્ધિથી સ્વાભાવિક તે જ પાપથી દૂર રહીને ચાલવાનો પાપી વિષે એગના સાધકે દ્વેષ ન કરે પણ માત્ર ઉદાસીનવૃત્તિ ચાલુ રાખવી, એ પણ આ ભાવનાને દવનિ છે” (પૃ ૧૧૨).
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy