SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ શાંતસુધારસ કારણ દૂર કરવા ઉપરાંત ઉપાદાનકારને પણ શોધી, બહાર કાઢી બતાવી તે તરફ પણ પ્રાણીઓનુ ધ્યાન ખેચવુ એ વિશાળ ભાવ આ કરુણાભાવનામાં પ્રાપ્ય થાય છે. ઘણુ પ્રસ ગામ મત્રીભાવનાને અને કરુણાભાવનાનો બગ બહુ નજીક આવી જાય છે અને કેટલીક વાર તે એકબીજામાં સફમણ કરે છે “સર્વ સુખી થાઓ એવી ભાવના મંત્રીપ્રેરિત ભાવિતાત્મામાં જેટલી શક્ય છે તેટલી જ કરુણા પ્રેરિત આત્મામાં શક્ય છે માત્ર પ્રસ ગ શું છે અને પરિસ્થિતિ શી છે તેના નિરાકરણ ઉપર જ તે ભાવનામાં કઈ પ્રવર્તે છે તેને નિર્ણય કરી શકાય કઈ પ્રસગોમા અને ભાવનાઓ એકબીજામાં અન્તર્ગત બને તે તેમાં કઈ પ્રકારને વાધો નથી વિશાળ દૃષ્ટિમાં બન્નેની આવશ્યકતા એક્સરખી છે. મૈત્રીમાં પ્રેમ એના શુદ્ધ વ્યાપક અર્થમાં મુખ્ય સ્થાન લે છે અને કરુણાભાવનામાં ‘દયા’ એના વ્યાપક અર્થમાં મુખ્ય સ્થાનકે આવે છે. બન્નેમાં હદયની વિશાળતા છે. તીર્થ કરદેવ સર્વ જીવને શાસનરસિયા કરવા ભાવના કરે છે તેમાં મંત્રી અને કરુણાભાવનાની મિત્રતા છે તે બરાબર વિવેક કરવાથી સમાઈ શકાશે ચિત્તપ્રસાદના સાધન તરીકે અને તે દ્વારા સ્થિરતા પ્રાપ્ત કરાવનાર તરીકે આ ચારે ભાવનાનું યોગગ્ર મા બહુ સુંદર સ્થાન છે ત્યા મૈત્રીભાવનાનો વિષય સુખ અથવા સુખી પ્રાણીઓ કરેલ છે અને કરુણાભાવનાનો વિષય દુ ખ અથવા દુખી પ્રાણીઓ કર્યો છે પાત જલ યોગદર્શનના પ્રથમ પાટના તેત્રીશમા સૂત્ર પર વિવેચન કરતા છે. કણીઆ જણાવે છે કે–બીજી ભાવના દુખી વિષે કરુણાની છે, જે દુ ખી મનુષ્યો હોય તેના ઉપર કરુણા વા દયા રાખવી, એટલે જેમ પોતાના દુ નો નાશ કરવાની ઇચ્છા સર્વને થાય છે તેમ સર્વના દુખો નાશ પામે એવી ઈચ્છા સાધકે રાખવી એ ઈચ્છારૂપ ભાવનાના બળથી તે સાધક કેદને અપકાર નહિ કરવાનો, તેમ જ એ ભાવના બળ પામવાથી અન્યને અપકાર કરવાની વિધી વૃત્તિ પણ એ સાવકની શમેલી જ રહેવાની આ રીતે આ ભાવનાથી પરાપકારની ઈચ્છારૂપ ચિત્તમ દર થાય છે વળી અોગી પુરમાં શ્રેષરૂપ મોટો મળ હોય છે એ ઠેષ વરી પ્રાણી ઉપર હોય છે તેથી જ્યાસુધી વેરી પ્રાણીપ વ્યાધ્રાદિ હોય છે ત્યા સુધી તેને હેપ થયા કરે છે. તેમાં સમગ્ર વ્યાધ્રાદિરૂપ વૈરબુદ્ધિના વિષયભૂત પદાર્થોને તો નાશ થશે અશક્ય છે તેથી દેવ દર કરવા માટે તેમના વિષે વૈરબુદ્ધિનો ત્યાગ કરે એ જ ઉપાય છે એ ત્યાગ આ કરુણારૂપ ભાવનાથી થાય છે. ત્યારે જીવન્મુક્તિવિવેકમા ઉદાહત– प्राणा यथात्मनोऽभीष्टा, भूतानामपि ते तथा । आन्मौपम्येन भूताना, दयों कुर्वन्ति मानवाः ॥ એ રસૃતિ અનુસાર આત્મવત્ સર્વ પ્રાણી વિષે “સર્વ પ્રાણી સુખી થાઓ, સર્વ નિરામય થાઓ, સર્વ કલ્યાણને પામે, કઈ પણ દુખને ન પામો' એ પ્રકારની કરુણુવૃત્તિનો ઉદય
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy