SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ મૈત્રીભાવના ૩e એ ઘણી આગળ વધી જાય છે તે આખી ભાવના માનસદૃષ્ટિએ વિચારતા અને એનું પૃથક્કરણ કરતાં જરૂર પ્રાપ્ત થાય છે. ' મેત્રી આદિ ચાર ભાવના બાર ભાવનાથી જુદી પડી જાય તેમ છે, કારણ તેમાં સાધ્ય એક હોવા છંતાં દૃષ્ટિબિન્દુને તફાવત છે એટલા માટે બાર ભાવનાઓને અનુપ્રેક્ષા ભાવના કહેવામાં આવે છે અને આ મિથ્યાદિ ચાર ભાવનાને “પરાભાવના” અથવા “ગભાવના” કહેવામાં આવે છે તેના કારણે ઉપર દર્શાવ્યા છે. અહી એક મુદ્દો જરા સ્કુટ કરવાની જરૂર છે અનિત્યભાવનામાં સર્વની અનિત્યતા બતાવી, સર્વ સબ ધ અલ્પસ્થાયી બતાવ્યા અને અહી તે સર્વને પિતાના માનવા અને સર્વ જીવો સર્વ પ્રકારે સર્વ સ્થાનકે સુખી થાય એવી ભાવના બતાવી એમાં મુદ્દો તદ્દન જુદે જ છે એમાં વિરોધ દેખાય તો તેમાથી એક્તા શોધી લેવાની છેઅમુક દૃષ્ટિએ જે ત્યાજ્ય (તજવા યોગ્ય) હોય તે સર્વથા ફેકી દેવા જેવા જ હોય એમ સમજવાનું નથી પિતાના સ્વત્વસ્થાપનને અને જે પશ્કીય લાગે તેનું હિત ઇરછવાને પ્રસ ગ આવે ત્યારે તેને આખા જગતની અપેક્ષાએ પોતાના ગણાય આ કિર્ભાવ સમજે એ ચાઠાદમાગની વિશાળતા છે, અપેક્ષવાદને મહાન વિજય બતાવે છે અને એની બેને આખે ખુલ્લી રાખવાની આવડત સૂચવે છે અનિત્ય અને મૈત્રીભાવનું સ મિલન કરવામાં આવે અને તેના સમીકરણમાં એક્તાને અનુભવ થાય ત્યા અનેકાત મતની ઝાખી છે એમ સમજાય એને મુદ્દો ઉપર દર્શાવાઈ ગયો છે એની વિશેષ પ્રતીક્ષા કરવાનું કાર્ય દક્ષ વાચક પર છેડવું તદન સલામત ગણાય મૈત્રીભાવનામાં ખ્રિસ્તી પ્રનો Love – પ્રેમનો સિદ્ધાત તો શરૂઆતથી દષ્ટિગોચર થાય છે. બૌદ્ધપ્રતિપાદિત મંત્રી મનુષ્યજાતિથી આગળ વધતી નથી. 'જૈન મૈત્રી ભાવદયામય છે, ભૂતદયામય છે અને અહિંસાના અપ્રતિહત વિશાળ સિદ્ધાન્તને ઉત્કૃષ્ટ આકારમાં મૂકનાર છે. એને વિસ્તાર ન દેખી શકાય તેવા સૂક્ષ્મ જ તુથી માડીને તિર્ય ચ, મનુષ્ય, નારકો અને દે સુધી લખાય છે. એ ભાવ-વિચારણામાં મજા એ છે કે એમાં ભાવના કરતી વખત મનમાં વિષાદ આવે તેમ નથી, ગલાનિ થાય તેમ નથી, દુ ખ દેખાય તેમ નથી. એમાં આન દના કલ્લોલ છે, વિશાળતાના વિસ્ફલિગો છે અને શાતિના રસને પ્રસાર છે એ વિચારણું જ્યારે આવશે ત્યારે છાતી ગજ ગજ ફૂલશે, હદય વિશાળ, વિસ્તૃત અને ભાવવાહી બનશે અને મન નિર્મળતાને પામશે. એ કરનારને આનદ છે અને જેના પ્રત્યે થાય તેને સુખ છે. એમાં એકના સુખને ભોગે બીજાને સુખ નથી, પણ બને પક્ષને આનદ અને આનદ જ છે. એ ભાવનાના રાજમાર્ગો ગ્રંથકર્તાએ ખૂબ સુંદર રીતે પિષ્યા છે અને તે પર ચીવટથી ચર્ચા પરિચયમાં કરી છે વિસ્તારભયે તે દૃષ્ટિબિન્દુઓ ઉપસ હારમાં ફરી વાર ચર્યો નથી.
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy