________________
ચોથી આવૃત્તિ પ્રસંગે
(પ્રકાશકીય નિવેદન) પરમ પૂજ્ય મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે રચેલ “શ્રી શાંતસુધારસ” ગ્રંથ જેમ એક સુમધુર કાવ્યકૃતિ છે, તેમ એ ૧૬ ભાવનાઓને મહિમા વર્ણવતું મહાગીત પણ છે. આ કાવ્યગ્રથમા અનિત્ય વગેરે બાર ભાવનાઓનું અને મૈત્રી વગેરે ચાર ભાવનાઓનું ગેયાત્મક વર્ણન કરવામા આવ્યું છે, અને તે ખૂબ મનોહર, હૃદયસ્પર્શી અને આત્મભાવને જાગ્રત કરે એવું છે અને શબ્દો અને ભાવોની મધુરતા તે જાણે એના અણુ અણુમાં રેલાતી હોય એમ જ લાગે છે અને જ્યારે કોઈ સગીતરસિક વ્યક્તિ મધુર કઠે એનું ગાન કરે છે ત્યારે તે જાણે એ શ્રોતાના ચિત્ત ઉપર કામણ જ કરી જાય છે
આ કાવ્યકૃતિ ઉપર શાસ્ત્રાભ્યાસી, અનેક ગ્રંથોના સર્જક અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ભૂતપૂર્વ માનદ મંત્રી શ્રી મોતીચદભાઈ ગિરધરલાલ કાપડિયાએ, પોતાના જેલવાસ દરમ્યાન, ખૂબ વિસ્તૃત વિવેચન લખ્યું હતું, અને તે પહેલી વાર ચારેક દાયકા પહેલા, બે ભાગમા, ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રચારક સભા તથી, મૂળ સંસ્કૃત કૃતિ સાથે પ્રકાશિત કરવામા આવ્યુ હતુ (પહેલે ભાગ સને ૧૯૩૬મા અને બજિ ભાગ સને ૧૯૩૮મા પ્રગટ થયો હતો ) શ્રી મોતીચ દભાઈને આ વિવેચનને લીધે શ્રીસાથે આ મને કેટલા સારા પ્રમાણમાં લાભ લીધે છે એ વાત અત્યાર સુધીમાં આ ગ્રંથની ત્રણ આવૃત્તિઓ પ્રસિદ્ધ થવા છતા ઘણા વર્ષોથી એ અપ્રાપ્ય છે, એ બીના ઉપથી પણ જાણી શકાય છે - આ ગ્રંથની બે આવૃત્તિઓ ભાવનગરની જૈન ધર્મ પ્રસારક સભાએ પિતે જ પ્રગટ કરી હતી એની ત્રીજી અવૃત્તિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભાગલપ્રભસૂરીશ્વર મહારાજના ઉપદેશથી અને પરમ પૂજ્ય મુનિરાજ શ્રી ક્ષમાસાગરજી મહારાજની પ્રેરણાથી, સને ૧૯૬૪ની સાલમા, રાજસ્થાન-શિવગ જના શ્રી વર્ધ. માન જૈન તત્ત્વજ્ઞાન પ્રચારક વિદ્યાલય તરફથી, પ્રકાશિત થઈ હતી
ઉપર સૂચવવામાં આવ્યું છે તેમ, આ ગ્રંથ ઘણા વર્ષોથી અપ્રાપ્ય હતો અને એની માગણી અવાર નવાર થતી જ રહેતી હતી તેથી વિદ્યાલયે આ ગ્રંથની ચોથી આવૃત્તિ શ્રી મોતીચ દ કાપડિયા ગ્રંથમાળાના કથા ૬ તરીકે પ્રગટ કરવાનું નક્કી કર્યું હતું આ નિર્ણય મુજબ આ ગ્રંથને પ્રકાશિત કરતા અમને આનદ થાય છે.
આ ગ્રથની આ ચોથી આવૃત્તિ તૈયાર કરતી વખતે એમા આ પ્રમાણે બે મુખ્ય ફેરફાર કરવામા આવ્યા છે (૧) અત્યાર અગાઉ પ્રગટ થયેલી આ ગ્રંથની ત્રણ આવૃત્તિઓના, નાની સાઈઝના પુસ્તકરૂપે, બે ભાગ કરવામાં આવ્યા હતા તે આ વખતે શ્રી આન દવન–વીણી વગેરે સ્ત્રી મતીચ દભાઈ દ્વારા વિચિત ગ્રથની જમ, મોટી સાઈઝના એક જ ગ્રંથ તરીકે છપાવવામાં આવ્યા છે અને (૨) ગ્રંથ અને પ્રકારનો સવિસ્તર પાચ્ચય આપતુ શ્રી મતીચદભાઈન, ગ્રથના ઉપઘાતરૂપ લખાણ બીજા ભાગને અને આપવામાં આવ્યું હતું કે, આ આવૃત્તિમાં ગ્રથની શરૂઆતમાં મૂકવામાં આવ્યું છેઉપરાંત, અનુક્રમણિકાના લખાણમા પણ ફેરફાર કરવામાં આવ્યો છે