SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૫ ધર્મભાવની જેમાં કહી હોય તે ધર્મ તે સર્વત ત્રનું નવનીત છે આ સાધન જન ધર્મના નવનીતપણનું –પ્રાધાન્યનું સૂચક છે. (ગ) “સનાત” ત્રિકાલાબાધિત ધર્મને સનાતન કહેવામાં આવે છે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળમાં એ સદા જયવતે વર્તે છે “સનાતન શબ્દ ઉપર ઘણી ચર્ચા શક્ય છે. ધર્મના સ્વરૂપને બરાબર સમજ્યા હોઈએ તો આ શબ્દ એનુ યથાયોગ્ય સ્વરૂપે રજૂ કરે છે “સનાતને શબ્દ કોઈ એક મતનો વ્યાપક નથી જે ધર્મ ત્રિકાલાબાધિત હોય તેને તે યોગ્ય રીતે લાગુ થાય છે આ સાધન ધર્મનું ત્રિકાલવર્તિત્વ બતાવે છે. () ત્તિત્તિનપાન મુક્તિ–મદિરે પહોચવાને દાદર દાદરાને ચઢવાને જેમ પગથિયા હોય છે તેમ આ ધમ-મદિરમાં ગુણસ્થાનકમારેહ છે પ્રાણીની પ્રગતિ થવા માંડે ત્યારે એ પાછલી ચાર દૃષ્ટિમાં આવી, તેની આખરે વેદ્ય-સ વેદ્ય પદનો અનુભવ કરે છે ત્યાં એને ગ્રથિભેદ થાય છે. એ અપૂર્વકરણ કરી, સમ્યફત્વ પ્રાપ્ત કરી, દેશવિરતિ તેમ જ સર્વવિરતિસ્પ ગુણ મેળવતે કમસર આગળ વધતો જાય છે. ત્યાં કોઈ વાર ઉપશમશ્રેણી માંડે તે પડી જાય છેઆખરે ક્ષપકશ્રેણી માડી, કષા પાતળા પાડી, છેવટે તેને વિજય કરી ગુફલધ્યાન ધ્યાવતે સગી ને અયોગી પદ પ્રાપ્ત કરે છે. આ ક્ષમદિરે પહોચવાનો આ કેમ સમજવા યોગ્ય છે ખ્યાલમાં રહે કે આ મંદિરનુ પ્રત્યેક પગથિયુ ખૂબ સમજવાની જરૂર છે. અત્ર તો તેનો નિર્દેશમાત્ર જ કર્યો છે ઉપર જે ચોથ વિશેષણ વિશુધન () આપ્યું છે તેનાથી આ તદ્દન જુદુ જ વિશેષણ છે એમા સાધન ધર્મની મુખ્યતા છે, અહી એના માહત્વનું પ્રાધાન્ય છે. બન્નેનું સાધ્ય એક જ છે, પણ આશય-નિર્દેશ તદ્દન પૃથફ છે. (૪) તિમિતરાંતસુધારસપાન” વિનયનમ્ર પુરુષને પ્રાપ્ત થતુ શાસુધારસનું પાન કરાવનાર ! ધર્મ ખરેખર એના ખપી જીવને શાત અમૃતરસના ઘૂંટડા પાનાર છે. શાંતરસના ઘૂટડાની પ્રશંસા શી કરવી? આખા ગ્રથમા શાતરસ ભરેલો છે અને તેને પ્રાપ્ત કરાવનાર સમરુચિ છે એના ઘૂંટડા ભરી ભરીને પીઓ એ જ ઉપસ હાર આ ભાવનાનો હોય. આવાં સુ દર બાર વિશેષણોથી યુક્ત, પરમ પ્રશ્નથી સબધિત ધર્મ અનેક પ્રકારની શીતળ છાયા બતાવનાર, પ્રાપ્ત કરાવનાર અને પોષણ કરનાર છે એવો ધર્મ છે તેને અનેક રીતે સ બોલી, ચેતનરામ કહે છે હે મ ગલકમલાકેલિનિકેતન વગેરે ! મને પાળ, મારો ઉદ્ધાર કર, મને રસ્તે ચઢાવી આપ X ધર્મભાવના ભાવતાં ઊર્મિ ઊછળી પડે તેમ છે ધર્મભાવના ભાવવાનો ક્રમ નીચે પ્રમાણે રાખવો ઠીક લાગે છે પ્રથમ ધર્મનું સામાન્ય સ્વરૂપ લેવું. વ્યવહારમાં ધર્મ મનાય છે તેને સમજ એમાં બાહ્ય ક્રિયાઓને પ્રાધાન્ય મળે છે તેનો પણ ઉપયોગ છે બાહ્ય ક્રિયાઓ
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy