SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ - ધર્મ ભાવના : પરિચય ૐ . આ ભાવનામાં આપણે બહુ સુદર પ્રદેશમા પ્રવેશ કરીએ છીએ. આ પ્રાણીનાં સર્વ મૃત્યાને નિયમિત રાખનાર, મર્યાદામાં રાખનાર અને સયમિત રાખનાર ધર્મ છે. એ વિષય એટલે વિશાળ છે કે એના ઉપર ગમે તેટલુ લખવામા આવે તે એછુ જ પડે. ધર્મ’ શબ્દના અનેક અર્થ થાય છે, તે પર વિશેષ વિવેચન આગળ થશે આ જીવનમા ચાર પુરુષાર્થ પ્રાણીએ સાધવાના છે અને તે ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ છે. ધર્મ”મા સામાન્ય વ્યવહારદૃષ્ટિએ ક્રિયાકલાપને સમાવેશ થાય છે અને પરમાર્થદૃષ્ટિએ આત્મસન્મુખતાનેા સમાવેશ થાય છે અથ’ એટલે ધન, પૈસાની પ્રાપ્તિ, ‘કામ’ એટલે ઇન્દ્રિયના ભાગે પભાગની સેવના અને મેાક્ષ' એટલે અજરામર સ્થાનની પ્રાપ્તિ એમા મેાક્ષ તા સાધ્યભાવના આદર્શમાં રાખવાનુ છે અને અ તથા કામ એવી રીતે સાધવા ઘટે કે તેના ધર્મ સાથે વિરોધન થાય આ જરા મુશ્કેલ છે પણ જરૂરી કવ્યસૂચન છે, એની ચાવીએ આ ભાવનામા પ્રાપ્તવ્ય છે. આનેા વિચાર ભાવનાને અતે કરવાનું રાખીએ, અને લેખકશ્રીને! ભાવનાનેા વિચાર કરતાં એ સાપેક્ષ નજર ધ્યાનમા રાખીએ સર્વાં જીવા તરફ્ ખભાવ રાખનાર શ્રી તીર્થંકરદેવે ધમ ચાર પ્રકારનેા ખતાન્યેા છે. સજીવને સ સારપટનની ઉપાધિમાથી મુકાવવાની તીવ્ર ભાવના થાય ત્યારે જ પ્રાણી તી કર થવા ચેાગ્ય ક ઉપાર્જન કરે છે. એટલે એની જગત્ખ ભાવવૃત્તિ સમજી શકાય તેવી અને સુવિખ્યાત છે એમણે જે ચાર પ્રકારના ધર્મ ખતાવ્યા છે તે નીચે પ્રમાણે છે – (૧) દાન : પેાતાની વસ્તુએ, પેાતાનુ ધન ખીજને આપવુ, આપવામા પૂર્ણ પ્રેમભાવ રાખવા પેાતાની શક્તિ જોઇને આવુ અને જે વ્યક્તિને કે સ સ્થાને આપવાનુ હાય તેની ચેાગ્યતા જોઈને આપવુ ચિત્ત, વિત્ત અને પાત્ર આ ત્રણે ખાખતે દાનને અગે વિચારવાની હાય છે દાનમા મૂર્છાના ત્યાગ રહેલા છે અને ત્યાગધર્મની શરૂઆત દાનથી થાય છે. દેશત્યાગ અને સત્યાગની પ્રથમ ભૂમિકા દાનથી શરૂ થાય છે દાન આપનારને પ્રેમ કેવા છે, એના હૃદયમા કઈ ભાવના વર્તે છે અને તેના ધનાદિ પર મૂર્છાભાવ કેટલેા એછે! થયા છે તેના પ્રમાણમા તેને ફળ બેસે છે દાનની રકમ સ્વસ પત્તિ ઉપર આધાર રાખે છે કરાડાધિપતિ લાખા આપી શકે અને સામાન્ય સ્થિતિને માણસ એ આના આપે આપતી વખતે તેના માનસિક પરિણામ કેવા વર્તે છે તે પર દાનની વિશિષ્ટતા અકાય છે દાન શબ્દની સાથે ધનસ પત્તિ પ્રથમ યાદ આવે છે. છતા એના દાન કરતા પણ અભયદાનની કિ મત વધારે છે કેાઈ જીવને બચાવવેા, છેડાવવા, મૃત્યુમાથી ઉગારવા એ વધારે મહત્ત્વનું દાન છે પ્રાણી ધન કરતા પણ જીવને સ્વભાવિક રીતે જ વધારે અગત્ય આપે છે. કેટલાક કીતિ ખાતર પૈસા આપે છે તેને કીર્તિદાન કહેવામા આવે છે. એના ખદલામા કીતિ મળે છે, પણ
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy