SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચય એકવભાવના ( ૧.) ભાવનાની વિચારણાને અગે એક હકીક્ત શરૂઆતમાં ચાખી કરવી ઉચિત જણાય છેએમાં પુનરાવર્તન જરૂર આવવાનું જ છે. એનું કારણ એ છે કે એ પ્રત્યેક ભાવનાનો વિષય પરસ્પર ભિન્નભિન્ન છે. અનિત્યભાવનાના વિચારે સંસારભાવનામાં જરૂર આવે, કારણ કે અનિત્યભાવનામાં સાસારિક સ બ ધો અને વસ્તુની જ અનિત્યતા બતાવવાની હોય છે. એ જ પ્રમાણે એકત્વ અને અન્યત્વભાવના આત્માને અને એક જ જાતને પણ સહજ તફાવતવાળા પ્રસ ગ વ્યક્ત કરનાર છે. આ ભાવનામાં આત્માની એકતા ભાવવાની છે, કારણ કે તેના સિવાય સર્વ સ બ છે અને વસ્તુઓ અન્ય છે. તે જ આત્માને પદાર્થોનું અનિત્યપશુ ચિંતવવાનું છે. આ રીતે વિચાર અને વિપયાનું પુનરાવર્તન અનિવાર્ય છે. બનતા સુધી તે દૂર કરવા પ્રયત્ન થયો છે, છતાં વૈરાગ્ય, ઉપદેશ અને આયુર્વેદ (દવા–ઉપચાર)માં પુનરાવર્તન દેપ ગણાતે નથી એ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. એકવભાવનામાં કેદસ્થ વિચાર એ છે કે આ પ્રાણી આત્માની નજરે એક્લો જ છે, સ્વતંત્ર છે, એકલો આવ્યો છે અને એકલો જવાને છે અને પિતાના કૃત્યોને સ્વત ત્ર કર્તા, હર્તા અને ભકતા છે. એ ભાવનાને અંગે પ્રાપ્ત થતી વિચારણામાં હવે ઊતરી જઈએ સેતુ ત્યારે ખાણમાં હોય છે ત્યારે તે માટી સાથે મળેલું હોય છે, તાં તે વખતે પણ એનામાં શુદ્ધ કાચનત્વ તે જરૂર રહેલું છે અને છતા એ સ્થિતિમાં કોઈ એને જુએ તે એ સેતુ છે એમ માનવાની પણ ના પાડે. આત્માની પણ એ જ દશા છે. એની શુદ્ધ કરેલી-થયેલી દશામા એ કચરા–મેલ વગરનો છે, તે તદ્દન શુદ્ધ છે અને અનેક વિશિષ્ટ ગુણોથી ભરેલો છે. જેમ સેનાનુ કચનત્વ ખાણમાં હોય ત્યારે માટીથી ઘેરાઈ ગયેલું હોય છે તેમ છતાં તે તેનામાં છે, તેવી જ રીતે આત્મા ગમે તેટલો ખરડાયેલો હોય છતા તે વખતે પણ તેના અતરમા–તેનામાં શુદ્ધ આત્મભાવ જરૂર રહે છે તે ખાસ લક્ષ્યમાં રાખવાની જરૂર છે આત્મા શરીરથી ભિન્ન છે તે તો સાબિત કરવાની જરૂર રહેતી નથી મૃત દેહમાં પાચે ઈદ્રિ હોય છતા તે તદ્દન હાલ્યા ચાલ્યા વગર પડી રહે છે, એને જે અંદરથી ચલાવનાર હતો તે નીકળી ગયો છે “આ મારુ શરીર છે” એમ કહેવાથી શરીર શેય થાય છે અને ય કરતા જ્ઞાતા જુદે હોવો જ જોઈએ જ્ઞાતા અને ગેય કદી એક હોઈ શકતા નથી. આ આત્મા સંસારમાં રહી સારા-ખરાબ કર્મો કરે છે, તેના સ સ્ટારે પિતાની આસપાસ એકઠા કરતો જાય છે. તેને કર્મ કહેવામા આવે છે એ કર્મથી આવૃત હોય ત્યારે સેના અને માટીના સંબધ જે તેને સબ ધ થઈ જાય છે. અહી યાદ રાખવાની બે હકીક્ત છે એનું અને
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy