SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારભાવના ૧૨૭ આ સંસારમાં પરિભ્રમણ કરતા તારે માથે થવામાં બાકી રહી નથી વેદના, ઉપાધિ, સતાપ, રખડપટ્ટી અને મૃગતૃષ્ણા વગેરે અનેક સ્થિતિઓમાં તુ જઈ આવ્યું છે અને હજુ તે જ ગમતું હોય તો તારી મુનસફીની વાત છે, પણ તારે એક વાત યાદ રાખવાની છે કે તારે બદલે કોઈ સૂવાનું નથી અને તેને ફરવાને ઉમ ગ હોય તો સ્થાનોનો પાર નથી. એને માટે જીવનિ ચોરાશી લાખ છે એ સર્વ બજારમાં – નાટકના તખ્તા પર નવા નવા વેશ લેતે ફરજે અને ત્યા માન, મદ, પ્રતિષ્ઠા મૂકી દઈ ફેરા માર્યા કરજે કે જેથી એ સર્વ સ્થાનકે તું જઈ આવ્યો છે તેનો અનુભવ તા થશે અહી થી નીકળી જવા ધારીશ તે પણ મોહરાજા એકદમ તને છોડે તેમ નથી તેના અનેક કામદારો અને પરિવારના માણસે છે તે એક અથવા બીજા આકારે તને સસારમાથી ખસવા દેશે નહિ ખો હોઈશ તે ખેંચીને તને સંસારમાં લઈ આવશે અને ઉપર-ઉપરનુ સુખ બતાવી તને ઊંડા પાતાળમાં ફેકી દેશે ચેત, સાવધ થા, હોશિયાર થા અને સંસારને બરાબર ઓળખ આ સંસારનું ચિત્રપટ તારી પાસે સકારણ રજૂ કર્યું છે ભાવનાનું કાર્ય શું છે તે અત્ર એક વાર ફરી વખત કહેવાની છૂટ લેવાની આવશ્યકતા છે. માતે મોરારિસમુદ્રનાથ પુન પુર રામ મોરામિમુnિતે થયા જો માવના / ભાવનાનું આ કાર્ય છે સ સાર (ભાવ) ઉપર વિરાગ ઉત્પન્ન કરવા માટે વાર વાર મનમાં જેનું સ્મરણ કરવામાં આવે અને તે દ્વારા જેનાથી આત્માને મોક્ષ–સન્મુખ કરવામાં આવે તે ભાવના આ ભાવનાનું વર્ણન ખૂબ વિચારવા જેવું છે મોક્ષ-સન્મુખ થવું હોય તે સસારને બરાબર ઓળખવા જેવો છે અને ઓળખીને એ વિચારણાને સન્મુખ રાખી વાર વાર એનું સ્મરણ કરવા જેવું છે. એમા પુનરાવર્તનના દેવની ચિતા રાખવા જેવું નથી. એ સંસાર ધાતુ પરથી આવે છે ; (To spread) “પાથરવું, વહેવું” એ એને આશય છે એ સસારને તમે મોકળે મૂકો તે તેલનું ટીપુ પાણીમાં પડતા જેમ ફેલાઈ જઈ અનેક લીલા–પીળા કુ ડાળાં કરી નાખે એવો સ સાર છે એને માર્ગ આપ્યો કે એ તો ચારે તરફ પથરાઈ જઈ લાબા ને લાબો થવા માગશે આપણે સ સારને તપાસીએ તો આપણે એ જ અનુભવ થશે એમા શકા જેવું નથી આ ભાવનામાં આખા સ સારને, તેના જન્મમરણને, તેની અંદરની ઉપાધિઓ-આપત્તિઓ અને દુખનો વિશાળ નજરે વિચાર કરવાનું છે, સબ ધની ઘેલછા અને સ્વાર્થના સબ છે સમજવા ગ્ય છે અને ખાસ કરીને આ પ્રાણીની અત્યાર સુધીની રખડપટ્ટીનો ખૂબ ખ્યાલ કરવા યોગ્ય છે, અને એની આખી ચાવી તરીકે મોહરાજાને એના પરિવાર સાથે ખૂબ ઓળખી લેવાનો છે બીજા કર્મો ગૌણ છે, સર્વ પિતાને ભાવ ભજવે છે, પણ મેહરાજા ખરેખર સર્વને રાજા છે એને ઓળખી વાર વાર એના સબ ધી ચિતવન કરતા વૈરાગ્યવિરાગ થયા વગર રહે તેમ નથી આત્માને મોક્ષાભિમુખ કરવા માટે એ મહારાજાને ઓળખવાની બહુ જરૂર છે અને એના ખાસ આકારમાં ઓળખી લીધે એટલે સર્વ અગવડોરખડપટ્ટીઓ અને દુખ-પીડા તથા વ્યાધિઓનો નાશ સ્વત સિદ્ધ છે. इति संसारभावना ३
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy