SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય લધુ રચનાઓ ૪૧૩. પ્રભુને નાત્ર મહત્સવ આવી રીતે કર્યો. ત્યારપછી કવિ અનુરોધ. કરે છે કે હે ભવ્યજન! તમે પણ આ રીતે પ્રભુને સ્નાત્રવિધિ श्री वामेयममेय गुणमिंद्र स्नपयामास । येन तेन विधिना सुजनः स्नपयतु शुभ सवास ॥ २४ ॥ [અપરિમિત ગુણવાળા શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઈ નાત્ર. મહત્સવ કર્યો તે જ વિધિ વડે “હે ભવ્યજને! તમે પણ પ્રભુને. સ્નાત્રવિધિ કરે.]. અંતિમ શ્લેકમાં કવિએ શ્લેષથી પિતાનું નામ વણી લીધું છે. પાર્શ્વનાથ ભગવાન શેખર-સુંદર છે, કારણ કે તેમના મસ્તક ઉપર ફણ છે. એવા “શેખર સુંદર જય પામ, જય પામ-એમ કવિએ કહ્યું છે કષથી એવો અર્થ લઈ શકાય કે જે દ્વારા. પાર્થપ્રભુના થયેલા સ્નાત્ર મહોત્સવનું સુંદર વર્ણન કરનાર જયશેખરસૂરિ જય પામે. જુઓ - जय जयशेखर सुंदर सुर निकर स्नापित पार्श्वजिनरज । तेपि च जय तु तस्मिन् समये येनार्थ दृष्टोसि ॥२५॥ આમ પચીસ શ્લેકની પાર્શ્વનાથ વચ્છરા નામની આ રચનામાં: કવિ જયશેખરસૂરિએ પાર્શ્વનાથ પ્રભુના જન્મ સમયના સનાત્ર. મહોત્સવનું શાસ્ત્રીય પરંપરાનુસાર અને શાસ્ત્રીય વિધિ અનુસાર સવિગત નિરૂપણ કર્યું છે. આમાં કવિની વિશેષ શક્તિ એમના શબ્દપ્રભુત્વમાં રહેલી જોઈ શકાય છે. કવિ સંસ્કૃત ભાષામાં બ્લેક રચના જાણે પિતાની માતૃભાષા હેય તેમ સહજ અને સરળ રીતે. કરે છે. અનુપ્રાસયુક્ત પદાવલી કે યમક રચના આ કાવ્યમાં સ્થળે સ્થળે જોવા મળે છે. કવિના ભાષાસામર્થની અને કવિની પ્રતિભાની ઉત્તમ પ્રતીતિ. કરાવે એવી આ એક મનોરમ રચાના છે.
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy