________________
સુખ અધિક કે દુઃખ
૧૬૯ પરતુ પ્રાપ્ત થયેલ જ્ઞાનથી, વિદ્યાથી કે તપથી મને સંતેષ છે એમ કઈ કહેતું હોય તે તે સંતોષ તો તેના વિનાશને જ નેતરનારે છે. જ્ઞાન, વિદ્યા, તપ કે કઈ પણ આત્મિક એશ્વર્યની પ્રાપ્તિ માટે સંતોષ દાખવવે એ સંપત્તિનું મૂળ નથી, કિન્તુ વિપત્તિનું મૂળ છે. અને એ જ કારણે એક સ્થળે કહ્યું છે કે “જો કે શિÉ નિત્ત ” અને “સતો થિયો ભૂરું
અર્થાત–સ તેષ એ સંપત્તિનો નાશ કરે છે અને અસંતોષ એ સંપત્તિનું બીજ છે.”
તાત્પર્ય એ છે કે–સર્વ પ્રકારના અસંતેષ એ ત્યાય નથી. આત્મિક પ્રગતિના વિષયમાં અસંતોષ એ તે ભાવિ ઉત્કર્ષનું બીજ છે. એ જાતિને અસંતોષ પણ ધારણ કરવામાં ન આવે તે આત્મા સર્વ સારા, પણ પ્રયત્નોથી ભ્રષ્ટ થઈ આ લેક તથા પરલેકમાં અધે સ્થિતિ અને અધોગતિને પામનારે જ થાય. એક અંગ્રેજ કવિ પણ કહે છે કે
Unhappiness is the cause of progress' અથૉત-અસંતોષ એ પ્રગતિનું નિદાન છે.'
કલ્યાણકારક વરતુ બદલ ઊંચત અસંતોષ ધરાવ એ કોઈને પણ અમાન્ય નથી. કવિ શિરોમણિ ભdહરિ પણ એક જગ્યાએ કહે છે કે નિર્મળ યશ ઉપાર્જન કરવામાં અભિરુચિ રાખવી કે શાસ્ત્રાભ્યાસમાં અસતેષ ધારણ કરવો, એ દેશને પાત્ર નથી કિન્તુ જરૂરી છે.”