________________
ક્ષમાપ્રાર્થના
પ્રસ્તુત પ્રશ્નવ્યાકરણુ સૂત્રના ગુજરાતી અનુવાદની જાહેરાતના હેન્ડબીલમાં જાહેર કરવામાં આવ્યું હતું કે આ ગ્રંથને સુનિ પુણ્યવિજયની સુંદર પ્રસ્તાવનાથી સુશાલિત કરવામાં આવશે.” એટલે વાચકે આ પુસ્તકનું પાનું ઉત્રાડતાં તે પ્રસ્તાવના જોવાની આશા જરૂરજ રાખતા હશે; પણ જ્યારે તેનુ પાનું ઉધાડતાં તે આશાને નિરાશામાં ફેરવાયલી જોશે ત્યારે જરૂર ફૈટલાક વાચકેાને દુઃખ થશે એ હું બરાબર સમજું છું, અને તે બદલ પ્રારભમાજ હું તે ઉદાર અને સ્નેહી વાચક ખએની સવિનય ક્ષમા પ્રાર્થુ છું.
સુનિવર શ્રીયુત છેટાલાલજી સ્વામીને! અને મારે એકજ ધર્મપ્રચારક ધમ પિતા શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના પુત્ર તરીકેના અંગત સ્નેહસંબંધ વર્ષો થયાં નિખાલસપણે ચારો આવતા હતા. તેને પરિણામે ગત ચાતુર્માસમા એટલે કે વિક્રમ સંવત ૧૯૮૮ના ચાર્તુમાસમા તેઓશ્રીએ મને પ્રશ્નવ્યાકરણના અનુવાદ ઉપર વિસ્તૃત પ્રસ્તાવના લખવા અત્યંત આદર અને લાગણીભરી રીતે આગ્રહ કર્યો. જો કે હું સાચું કહું તે, મારી કાસરણી ભિન્ન દિશામાં વહેતી હાવાથી પ્રસ્તુત પુસ્તકની પ્રસ્તાવના લખા માટેની જે તૈયારી જોઈ ચે તે જરાય નહેાતી અને તે માટેની રૂપરેમાય મારા મગજમાં નહેતી, તેથી મે' તેઓશ્રીને તે માટે ના પાડી હતી; તેમ છતાં તેએાશ્રીએ મારા સમક્ષ એવી દલીલ રજી કરી કે~~ આપ આ પુસ્તક ઉપર પ્રસ્તાવના લખશા તે ઉભય સોંપ્રદાયની સમજદાર જનતા ઉપર એવી અસર પડશે કે પરસ્પરમાં અમુક અંશે ભિન્ન ભિન્ન માન્યતા ધરાવવા છતા એકજ ધર્મોપિતાના પુત્ર સમાન, ઉભય સોંપ્રદાયના જૈન મુનિએ સત્ય સિદ્ધાતની આખતમાં પરસ્પર સહકાર અને સમભાવ સાધી શકે છે, અને તેથી
r