________________
૧૨૪ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર મલ્લી, ભાંડ, વિદુષક, કથાકાર, જલમાં કૂદી તરનારા, રાસ રમનારા, આખ્યાન કરનારા (શુભાશુભ કહેનારા), હાથમાં ચિત્રનું પાટીયું લઈ ભિક્ષા માંગનારા (ખ), તૃણવાદિત્ર વગાડનારા, તુંબવીણા બજાવનારા, તાલ (તાલેટા) વગાડનારા, ગાયન કરનારા, ઇત્યાદિની ક્રિયાઓ અને બહુવિધ મધુર સ્વરે ગીત ગાનારાઓનાં સુસ્વરયુક્ત ગીતે, તેમજ બીજા એવા (કર્ણપ્રિય શબ્દ ) તપ-સંયમ-બ્રહ્મચર્યને ઘાત તથા ઉપઘાત કરનારાં છે, તે બ્રહ્મચર્યનું અનુપાલન કરનાર શ્રમ જેવાં નહિ, કહેવાં નહિ, તથા સંભારવાં નહિ. એ પ્રકારે જે પૂર્વે કરેલા વિષયભોગ, કીડા આદિની વિરતિરૂપ સમિતિના ચગે કરીને ભાવિત છે, તેને અંતરાત્મા બ્રહ્મચર્યમાં આસક્ત મનવાળો, ઇંદ્રિયધર્મથી નિવૃત્ત, જિતેંદ્રિય અને બ્રહ્મચર્યની ગુણિએ કરીને યુક્ત થાય છે. તે
પાંચમી ભાવનાએ પ્રણિત સ્નિગ્ધ (જેમાંથી ઘી-તેલ વગેરેનાં બિંદુઓ ટપકતાં હોય) ભજન સંયતિ–સાધુએ (નિર્વાણના સાધકે) વર્જવું. દૂધ, દહીં, ઘી, માખણું, તેલ, ગોળ, ખાંડ, સાકર, મધ, મધ, માંસ, ખાજા (વગેરે મીઠાઈ) એટલા વિગય (વિકૃતિ પામનારા પદાર્થો)થી યુક્ત આહાર, દર્પકારક આહાર સાધુએ ત્યજવો અને (નિદોષ) આહાર પણ દિવસમાં બહુ વાર ન કરે, નિરંતર (પ્રતિદિન) ન કરે, શાક-દાળ અધિક ન જમવાં, ઘણું ન જમવું; એ પ્રકારના આહાર ભેગવવા નહિ. (સંયમની) યાત્રાના પ્રમ