SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘનની કૃતિ. ૧૦ રવાનુભવદર્શક પદે. ૧૧ પરમત સહિષ્ણુતા વિચારદર્શક પદે. આવી રીતે વિષય અને ઉક્તિને અંગે પદેના ભેદ પાડવા હોય તે પડી શકે તેમ છે, પરંતુ અનુક્રમે પક્ષે આવ્યાં કરે તે પણ તેમાં વિષય ફરતા રહેવાથી વાંચવામાં આનંદ આવે છે. મુખ્ય ત્રણ વિભાગ પદના પાડવા યોગ્ય છે. આધ્યાત્મિક, રોગવિષયક અને વૈરાગ્યને લગતા. આવા વિભાગે પાડી જુદા જુદા વિષયના રસિક અથવા ખપી જીવેને ઉપયોગી થાય તેમ પદનું પૃથકકરણ કરવાની જરૂર છે તે હવે પછી બનશે. અહીં તે કમ એક સરખે છાપેલી બુક પ્રમાણે રાખે છે જેથી અરસ્પરસ સરખામણ, અર્થવિચારણા અને વિવેચન માટે ઉપયોગી થઈ પડે. પદને કમ અરસ્પરસ સંબંધવાળે છે અને જ્યારે લખાયાં હશે, સંગ્રહિત થયાં હશે અથવા ગોઠવાયાં હશે ત્યારે તેમાં કાંઈ ધારણ હવાને સભવ રહે છે. આ સંબંધ બતાવવા પદેના વિવેચનપ્રસંગે પ્રયાસ કર્યો છે અને તે પ્રયાસ ખાસ કરવા ચગ્ય છે એમ બતાવવાની જરૂર રહેતી નથી. પદે એકી વખતે લખાયો હોય એમ તે ધારી શકાય તેમ છે જ નહિ, પરંતુ જ્યારે લખાયાં હશે અથવા સંગ્રહિત થયાં હશે ત્યારે તેના ગુલાસર વિષય પર વિચાર થયે જ હવે જોઈએ અને તે તવ શોધી કાઢવા પ્રયાસ કરો બહુ રીતે ઉપાગી ગણાય એમાં નવાઈ નથી. ૨. ચાવીશી આનંદઘનજીની બીજી કૃતિ સ્તવનાની છે. એમણે ઋષભ જિનેશ્વર પ્રીતમ માહ' ત્યાંથી શરૂ કરી બાવીશમા નેમનાથ સુધી પ્રત્યેક તીર્થંકરનાં સ્તવન બનાવી તે દ્વારા તત્વજ્ઞાન, વૈરાગ્ય અને રોગના વિષયને સારી રીતે પિષણ આપી છે. એમનાં સ્તવનેની ગોઠવણ તપાસવામાં આવશે તે ત્યાં પણ જણાશે કે પ્રથમ પરમાત્મસ્વરૂપ પતિને પિતાના તરીકે આદરવા વિચાર કરે છે અને તે માટે બીજા સ્તવનમાં તેનો પંથડે નીહાળે છે–માર્ગ નિરીક્ષણ કરે છે અને સત્ય પ્રભુદશા-ઉન્નત પરમાત્મભાવ શોધવા અને તપાસવા વિચાર કરે છે. ત્યાર પછી ત્રીજા સ્તવનમાં જ્યારે પરમાત્મદશાને નિર્ણય થાય છે ત્યારે વિચાર બતાવે છે કે પ્રભુની સેવા કરવા માટે પ્રથમ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy