SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ૧૭૭ એ બધા શબ્દો સમાનાર્થક છે. રૂપ, રસ આદિ જે ગુણે ઇંદ્રિયેટ દ્વારા ગ્રહણ કરી શકાય છે તે ઇંદ્રિયગ્રાહ્ય ગુણ જ મૂર્તિ કહેવાય છે. પુદ્ગલેના ગુણ દદ્રિયગ્રાહુ છે એથી પુદ્ગલ એ મૃત એટલે કે રૂપી છે. પુદ્ગલ સિવાય બીજું કાઈ દ્રવ્ય મૃર્ત નથી કેમકે તે ઇંદ્રિયાથી ગૃહિત થતું નથી; એથી જ રૂપીત્વ એ જ પુદ્ગલને ધર્માસ્તિકાય આદિ ચાર તત્ત્વોથી ભિન્ન કરતું વૈધમ્ય છે, જે કે અતીન્દ્રિય હોવાથી પરમાણુ આદિ અનેક સૂક્ષ્મ દ્રવ્યા અને એમના ગુણો ઇંદ્રિયગ્રાહ્વ નથી; છતાં પણ વિશિષ્ટ પરિણામરૂપે અમુક અવસ્થામાં તે જ ઇંદ્રિયા દ્વારા ગ્રહણ થવાની યાગ્યતા પ્રાપ્ત કરે છે; એ કારણથી તે તીંદ્રિય હોવા છતાં પણ રૂપી અથવા મૃ જ છે. અરૂપી કહેવાતા ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યેઅને તેા ઈંદ્રિયના વિષય બનવાની યેાગ્યતા જ હતી નથી. આ પુદ્ગલ અને અતીદ્રિય ધર્માસ્તિકાય આદિ દ્રવ્યેામાં તફાવત છે. પ્રશ્ન: એક એક વ્યક્તિરૂપે કેટલાં દ્રવ્ય છે? ઉત્તર : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ એક એક વ્યક્તિપ છે. એમની એ અથવા એથી અધિક વ્યક્તિએ હાતી નથી. પ્રશ્નઃ વળી તે ત્રણ દ્રવ્ય કેવાં છે? ઉત્તરઃ તે નિષ્ક્રિય એટલે ક્રિયારહિત છે. પ્રશ્ન: આ ત્રણ દ્રવ્યાનું સાધર્મ્સ શું ગણાય? ઉત્તરઃ એક વ્યક્તિત્વ અને નિષ્ક્રિયંત્વ એ એ ધર્માં ઉક્ત ત્રણ દ્રવ્યેાનું સાધર્મ્સ છે. પ્રશ્નઃ એક વ્યક્તિત્વ અને નિષ્ક્રિય એ મેં ધર્મો ત્રણ દ્રવ્યાનું સાધર્મ્ડ છે તે તે કાનું વૈધર્મી છે? ઉત્તરઃ તે વાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયનું વૈધમ્ય છે, કારણ કે જીવ અને પુદ્ગલની અનેક વ્યક્તિઓ છે અને તે ક્રિયાશીલ પણ છે.
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy