SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ 1. તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ૧૨૫ માતઃ પહેલી ત્રણ ભૂમિઓના નારકે મનુષ્ય જન્મ પ્રાપ્ત જે કરી તીકરપદ સુધી પહોંચી શકે છે; ચાર ભૂમિઓના નારકે મનુષ્યત્વ પ્રાપ્ત કરી નિર્વાણ પણ પ્રાપ્ત કરી શકે છે; પાંચ ભૂમિઓનાં નારકો . મનુષ્યગતિમાં સંયમને લાભ કરી શકે છે; છ ભૂમિઓમાંથી નીકળેલા - નાકે દેશવિરતિ અને સાત ભૂમિમાંથી નીકળેલા સમ્યફવનો લાભ મેળવી શકે છે. આ ટ્રીપ, સમુદ્ર મારિનો હંમર: રત્નપ્રભાને છેડીને બાકીની છે આ ભૂમિમાં નથી દીપ, સમુદ્ર, પર્વત, સરોવર, કે નથી ગામ, શહેર . આદિ નથી વૃક્ષ લતા આદિ બાદર વનસ્પતિકાય કે નથી ઠીંદિયથી . લઈને પચેંદ્રિય પર્યત તિચ; નથી મનુષ્ય કે નથી કોઈ પ્રકારના દેવ. રત્નપ્રભા છેડીને એમ કહેવાનું કારણ એ છે કે એની ઉપરનો થડે ભાગે મધ્યલોક-તિર્યલોકમાં સંમિલિત છે, તેથી એ ભાગમાં . ઉપર જણાવેલા દ્વીપ, સમુદ્ર, ગ્રામ, નગર, વનસ્પતિ, તિયે, મનુષ્ય છે અને દેવ મળી આવે છે. રત્નપ્રભા સિવાયની બાકીની છ ભૂમિમાં ફક્ત નારક અને કેટલાક એપ્રિય જીવો હોય છે. આ સામાન્ય - નિયમને અપવાદ પણ છે; કારણ કે એ ભૂમિમાં ક્યારેક કોઈ - સ્થાન ઉપર કેટલાક મનુષ્ય, દેવ, અને પંચૅકિય તિચિને પણ સંભવ છે. મનુષ્યનો સંભવ તો એ અપેક્ષાએ છે કે કેવલિસમુઘાત કેતો મનુષ્ય સલેકવ્યાપી હોવાથી એ ભૂમિઓમાં પણ આત્મપ્રદેશ ફેલાવે છે. આ ઉપરાંત વૈક્રિયલબ્ધિવાળા મનુષ્યો પણ એ ભૂમિ સુધી પહોંચે છે. તિએ પણ એ ભૂમિ સુધી પહોંચે છે, પરંતુ તે ફક્ત વૈક્રિયલબ્ધિની અપેક્ષાએ જ માનવામાં આવે છે. દેવે ત્યાં સુધી પહોંચે છે એ | વિષયમાં હકીકત આ પ્રમાણે છે. કેટલાક દેવો ક્યારેક ક્યારેક પિતાને પૂર્વજન્મના મિત્ર નારકોની પાસે એમને દુઃખમુક્ત કરવાના ઉદ્દેશથી જાય છે. એ રીતે જનારા દેવો પણ ફક્ત ત્રણ ભૂમિઓ ' સુધી જઈ શકે છે; આગળ નહિ. પરમાધાર્મિક જે એક પ્રકારના
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy