SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ , તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા નીચે છે. અર્થાત પહેલી નરકભૂમિની નીચે ઘોદધિ છે, ઘનોદધિની નિચે ઘનવાત છે, ઘનવાતની નીચે તનુવાત અને તનુવાતની નીચે આકાશ છે. આકાશની પછી બીજી નરકભૂમિ છે. આ ભૂમિ અને ત્રીજી ભૂમિની વચમાં પણ ઘનોધ આદિ એ જ ક્રમ છે; આ રીતે સાતમી ભૂમિ સુધી બધી ભૂમિઓની નીચે એ ક્રમથી ઘનોદધિ આદિ વર્તમાન છે. ઉપરની અપેક્ષાએ નીચેના પૃથ્વીપિંડ–ભૂમિની જાડાઈ અર્થાત ઉપરથી લઈ નીચેના તલ સુધીને ભાગ એ છે ઓછો છે. જેમકે પ્રથમ ભૂમિની જાડાઈ. એક લાખ એંશી હજાર ચોજન, બીજીની એક લાખ બત્રીસ હજાર, ત્રીજની એક લાખ અઠ્ઠાવીશ - ૧ ભગવતીસૂત્રમાં લોકસ્થિતિનું સ્વરૂપ સમજાવતાં બહુ સ્પષ્ટ હકીકત નીચે પ્રમાણે આપેલી છે? 1“Aસ, સ્થાવરાદિ પ્રાણીઓને આધારે પૃથ્વી છે; પૃથ્વીના આધારે ઉદાધિ છે; ઉદધિનો આધાર વાયુ છે અને વાયુને આધાર આકાશ છે. વાયુને આધારે ઉદધિ અને તેને આધારે પૃથ્વી રહી જ કેમ શકે? આ પ્રશ્નનો ખુલાસે નીચે પ્રમાણે છેઃ કાઈ પુરુષ પવન ભરીને ચામડાની મસકને ફુલાવે. પછી વાધરીની મજબૂત ગાંઠથી મસકનું મોઢું બાંધી લે. એ જ રીતે મસકના વચલા ભાગને પણ વાધરીથી બાંધી લે; એમ થવાથી મસકમાં ભરેલા પવનનાં બે વિભાગ થઈ જશે અને મસકનો આકાર ડાકલા જેવું લાગશે. હવે મસકનું મોઢું ઉઘાડી ઉપલા ભાગને પવન કાઢી નાંખે, અને તે જગ્યાએ પાણી ભરી દે અને પાછું મસકનું મેટું બંધ કરે અને પછી વચ્ચેનું - બંધન છેડી નાખે, તો જણાશે કે જે પાણી મસકના ઉપલા ભાગમાં ભરેલું છે તે ઉપરના ભાગમાં જ રહેશે-વાયુની ઉપર જ રહેશે–નીચે નહિ જાય. કારણ કે 'ઉપરના ભાગમાં રહેલા પાણીને મસકની નીચેના ભાગમાં . રહેલા પવનને આધાર છે. અર્થાત્ જેમ મસકમાં પવનને આધારે પાણી ઉપર જ રહે છે, તેમ પૃથ્વી વગેરે પણ પવનને આધારે પ્રતિષ્ઠિત છે.” શતક ૧, ઉદ્દેશક, ૬. * * * * * * . . . . .
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy