SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ * મૂયગડંગ સૂત્ર કહેવાય છે. હવે પંડીતનાં અકર્મ વીર્યની વ્યાખ્યા તને હું જણાવું છું. તે તમે ધ્યાનથી સાંભળે. मूलम्- दविए बंधणुम्मुकके, सव्वओ छिन्नबंधणे । पणोल्ल पावकं कम्म, सल्लं कंतति अंतसो ॥१०॥ અર્થ : મુકિત પામવાને યોગ્ય પુરૂષ સર્વ પ્રકારનાં કર્મનાં બંધનેને છેદીને સર્વ પાપથી નિવૃત થઈ સર્વ કર્મને ક્ષય કરે છે. રાગ- વેષ રહિત પુરૂષ વિતરાગ કહેવાય છે. આવા પુરૂષ અકર્મ વીર્ય વાળા હોય છે. मूलम्- नेयाउयं सुयक्खायं, उवादाय समीहए। भुज्जो भुज्जो दुहावासं, असुहत्तं तहा तहा।।११॥ અથ: સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપને તીર્થકરોએ મોક્ષમાર્ગ કહ્યો છે. વિવેકી પુરૂષ તે માર્ગનું અવલંબન કરીને મોક્ષ માટે પ્રયત્ન કરે છે. “બાળ-વિર્ય” વારંવાર દુઃખ દેનારું છે. બાળ છે જેમ જેમ દુઃખ ભોગવે છે તેમ તેમ તેઓનાં અશુભ વિચારેની પરંપરા વધતી જાય છે. ___मूलम्- ठाणी विविहठाणाणि, चइस्संति ण संसओ। अणियते अयं वासे, णायएहि सुहीहि य ।।१२॥ અર્થ : ઉત્તમ સ્થાનવાળા ઈદ્ર ચક્રવર્તિ વિગેરે અનેક પ્રકારનાં ઉત્તમ, મધ્યમ, અને અધમસ્થાનોને જીએ જરૂર ત્યાગ કરવો પડશે. એમાં સદેહ નથી જ્ઞાતિજનો, મિત્રજનો કે સ્ત્રી, પુત્ર, પરિવાર આદિની સાથે જે સહવાસ છે તે પણ અનિત્ય છે. (તેથી અહકાર, મમત્વ ને દૂર કરી ધર્મ આરાધના કરી અમૂલ્ય માનવભવને સફળ બનાવો.) मूलम्- एवमादाय मेहावि, अप्पणो गिद्धिमुद्धरे । आरियं उपसंपज्जे, सव्व धम्मकोवियं ॥१३॥ અર્થ: આથી જ્ઞાની પુરૂએ સઘળાં સ્થાને અને સંગને અનિત્ય અને અશાશ્વત જાણે પિતાનું મમત્વ હઠાવી લેવું. અને સઘળા ધર્મોમાં નિર્દોષ એવા તીર્થ કર દેવે પ્રતિપાદિત કરેલા વીતરાગ માર્ગને સ્વીકાર કર જોઈએ. આજ માર્ગથી મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાન પ્રતીતિ અને તેમાં રમણતા એ જ આત્માને શુદ્ધ ઉપગ છે.) मूलम्- सह सम्मइए णच्चा, धम्मसारं सुणेत्तु वा । समुवट्ठीऐ उ अणवारे, पच्चक्खायपावगे ॥१४॥ અર્થઃ નિર્મળ બુદ્ધિ દ્વારા અથવા સગુરૂ પાસેથી ધર્મ સાંભળીને જ્ઞાન અને શુદ્ધ ઉપયોગરૂપ ક્રિયાની ઉત્તરોત્તર પ્રાપ્તિ માટે પ્રયત્નવાળા અણગારે સાવધ અનુષ્ઠાનનો ત્યાગ કરે. આવા પ્રયત્નશીલ ચારિત્ર્યવાળા પડિત પુરૂષ પડિતવીર્યથી યુક્ત બની રાગાદિ બંધનોથી મુક્ત થઈ ગુણોની વૃદ્ધિ કરતાં કરતાં પૂર્ણ સ્વરૂપને પામે છે
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy