SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ७ मुं अध्ययन (कुशील परिभाषा) પૂર્વભૂમિકા – છ અધ્યયનમાં ભગવાન મહાવીરની સાધકદશામાં પ્રકટ થતાં ગુણો તેમ જ સાધ્ય દશામાં પ્રકટ થયેલાં અનંત ગુણોનું વર્ણન નિશ્ચય તેમ જ વ્યવહારિક દૃષ્ટિએ કર્યું છે. આવા ગુણાથી જે વિપરીત હોય તેવા જ કુશીલ કહેવાય છે. આવા કુશીલ જીવોનું વૃતાન્ત આ સાતમા અધ્યયનમાં કરવામાં આવશે સુશીલનું વાચક અને વચ્ચે જાણ્યા પછી “કુશીલ” સારી રીતે જણાય છે. તેથી તેનું વર્ણન અહી તીર્થકર દેવોએ પ્રરૂપ્યું છે. मूलम्- पुढवी य आऊ अगणी य दाऊ, तण रुक्ख बीया य तसा य पाणा । जे अंड्या जे य जराऊ पाणा, संसेयया जे रसयाभिहाणा ॥१॥ एयाइं कायाइं पवेदिताइं, एतेसु जाणे पडिलेह सायं । एतेण काएण च आयदंडे, एतेसु या विप्परियासुविति ॥२॥ અર્થ : પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, તૃણ, આમ્ર આદિ વૃક્ષ, જવ આદિ બીજ, બે ઈદ્રિય આદિ ત્રસ જીવે, પક્ષી આદિ અંડ જ, જરાયુજ, જૂ, માંકડ, લીખ આદિ દજ અને રસ જ એટલે બગડી ગયેલી કે સડી ગયેલી વસ્તુમાં ઉત્પન થતાં જંતુ આ બધાને સર્વજ્ઞાએ “જીવનિકાય કહેલ છે. પૃથ્વીકાય આદિ સમસ્ત જે સુખ અને શાતા ઇચ્છે છે. એ વાત હે ભવ્યજીવો! સુક્ષમ રીતે જાણે અને વિચારો જે લેકે આ જીવને ઘાત કરે છે તેઓ પોતાના આત્માને જ હણે છે અને આ ઘાતના પરિણામે જ આવા ઘાતક છે એ જ જીવનિકામાં જન્મ ગ્રહણ કરીને પિતાનાં પાપનું ફળ ભેગવે છે. એટલે આવા ઘાત કરનારા છે એવી જ નિમાં વિપર્યાસપણું પામે છે. ટિપ્પણીઃ પૃથ્વી, અપ, તેજ, વાયુ કાચિક જીવોનાં પણ ચાર ચાર ભેદ છે જે પ્રાણીઓ ત્રાસને અનુભવ કરે છે તેને ત્રસ કહે છે અને ત્રાસમાંથી છુટવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અડજ એટલે ઈડામાંથી ઉત્પન્ન થવું, જરાયુ જ એટલે ચામડાનાં પાતળા પારદર્શક પડમાં લપેટાઈને જન્મ લે તે દજ એટલે પરસેવામાંથી ઉત્પન્ન થવું તે, રસ જ એટલે વિકૃત વસ્તુઓમાં ઉત્પન્ન થનાર જંતુઓ સુખની અભિલાષાથી જ હિંસા કરે છે. પણ આરંભ સમારંભ દ્વારા સુખની પ્રાપ્તિ માટે કરાયેલી કિયાને કારણે સુખને બદલે દુઃખ જ મળે છે તેથી જ સંસારમાં પરિભ્રમણ કરતાં વિવિધ પ્રકારનાં દુઃખોને અનુભવ કરવો પડે છે मूलम्- जाईपहं अणुपरिवट्टमाणे, तसथावरेहि विणिथायमेति । से जाति जाति वटुकूरकम्मे, जे कुव्वती भिज्जति तेण बाले ॥३॥ અર્થ : એકેન્દ્રિય આદિ જાતિઓમાં પરિભ્રમણ કરતો થકે તે જીવ ત્ર-સ્થાવર યોનિઓમાં ઉત્પન્ન
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy