SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ સમગવંગ મૂત્ર ૨૦૭ पुढवीसरीरं जाव संतं । अवरेडवि य णं तेसि नाणाविहाणं खेचर पंचिदिय तिरिक्ख जोणियाणं चम्मपक्खीणं जाव मक्खायं ॥२०॥ અર્થ ? હવે આકાશમાં ફરનારા પક્ષીઓને અધિકાર કહેવામાં આવે છેઃ (૧) ચામડાની પાંખવાળા - ચામાચિડિયા, વાગોળ વિગેરે. (૨) રેમ એટલે રૂંવાડાની પાંખવાળા પ્રાણીઓ જેવા કે રાજસ, સારસ, કાગડા, મેર, પારેવા વિગેરે (૩) સમુગપક્ષી (બિડાયેલી પાંખવાળા) તેમ જ વિતત (જેની પાંખ સદાય પહોળી રહે તેવા પક્ષીઓ) પક્ષી વિગેરે. આ પક્ષીઓ અઢી દ્વીપ બહારનાં પણ હોય છે તેની ઉત્પત્તિ પૂર્વવત્ જાણવી. ફરક એટલે કે આ પક્ષી જાતિની સ્ત્રી પોતાના ઈડને પિતાની પાંખથી ઢાંકીને અને બેસીને પિતાના શરીરની ગરમીથી તે ઈડનું પિષણ કરે છે. માતાના શરીરની ગરમીને આહાર કરી ઈડ વૃદ્ધિને પામે છે ઈડાની અંદર રસ હોય તેમાંથી તેનું શરીર બંધાય છે. આ અવસ્થા તે ક્વલ' કહે છે. તે અવસ્થા બાદ તેનાં સર્વ અવયવે પરિપૂર્ણ થતાં તે ઈડ ફાટીને બે ભાગમાં વહેંચાઈ જતાં બચાઓ તેમાંથી બહાર આવે છે. ત્યાર બાદ માતાએ તેમને આહાર ખવરાવીને વૃદ્ધિ પમાડે છે. બાલ્યાવસ્થામાં માતાના શરીરને રસનો આહાર કરે છે ક્રમશઃ વનસ્પતિ ત્રસ તથા સ્થાવર આહાર કરે છે અનાગ આહાર (રેમ આહાર) જીવમાત્રને દરેક ક્ષણે હેાય છે આ છો અનેક વર્ણ આદિ શરીરવાળાં હોય છે मूलम्- अहावरं पुरक्खायं इहेगतिया सत्ता नाणाविहजोणिया नाणाविह संभवा नाणाविह वुक्कमा तज्जोणिया तस्संभवा तदुवुक्कमा कम्मोवगा कम्मनियाणेणं तत्थवुक्कमा णाणाविहाणं तसथावराणं पोग्गलाणं सरीरेसु वा सचितेसु वा अचितेसु वा अणुसूयत्ताए विउद॒ति । ते जीवा तेसिं नाणाविहातं तस थावराणं पाणाणं सिणेहमाहारेति । ते जीवा आहारति पुढवीसरीरं जाव संतं । अवरेऽवि य तेसिं तसथावरजोणियाणं अणसयगाण सरीरा नाणावन्ना जाव मक्खायं ॥ एवं दुरूवसंभवत्ताए ॥ एवं खुरदुगत्ताए ॥२१॥ અર્થ : હવે વિકસેન્દ્રિય જીવોનું વર્ણન કરવામાં આવે છે. ત્રસ અને સ્થાવર જીવોનાં સચિત અને અચિત શરીરમાં વિકસેન્દ્રિય જીવો અનેક પ્રકારની નિમાં ઉત્પન્ન થાય છે. તે ચોનિમાં સ્થિત રહી વૃદ્ધિને પામે છે. મનુષ્યનાં શરીરમાં જ, લીખ વિગેરે પણ ઉત્પન્ન થાય છે. આ જી તિર્થં ચ પચેન્દ્રિય જીનાં સચેત અને અચેત શરીરમાં પણ ઉત્પન્ન થઈ ત્યાં વૃદ્ધિ પામે છે–ત્યાં લેહી આદિને આહાર કરે છે આ વિકલેન્દ્રિય છે એટલે બેઈન્દ્રિય. તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય છે જેની ઈન્દ્રિયે એક ક્ષણ પણ સ્થિર રહેતી નથી. નિરંતર ચપળતાને ધારણ કરે છે. તેથી તેમને વિકલેન્દ્રિય જી કહેવામાં આવે છે, આ જ વનસ્પતિ આદિમાં પણ ઉત્પન્ન થાય છે. સચેત અગ્નિકાયથી તેમ જ વાયુથી પણ ઉત્પન્ન થાય છે. મનુષ્ય અને તિર્ય ચ પચેન્દ્રિયના મળમૂત્રમાં પણ ઉત્પન્ન થાય છે. તેઓની આકૃતિ બેડેાળ હોય છે. તેઓ અશુચિ પદાર્થોને પણ આહાર કરે છે. આવા જ પાણીમાં પણ ઉત્પન્ન થાય છે આ તમામ છ સમૂર્ણિમ હોય છે. ગર્ભધારણ કરવાવાળા હતાં નથી. વળી તેમને મનરૂપ સાધન પણ હોતું નથી.
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy