________________
૨૦
ઉપઘાત
નિરૂપણ યાકિની મહત્તરાના ધર્મસૂનુ તરીકે સુવિખ્યાત હરિભદ્રસૂરિએ ધર્મસારમાં કર્યું છે. શું આ ધર્મસાર કે એની ટીકાની હાથપોથી કેઈ સ્થળે છે ખરી અને હવે તે ક્યાં ?
દીક્ષા કયારે લેવાય એ પ્રશ્ન પૃ. ૮માં ચર્ચા છે. પંદર વર્ષની ઉમ્મર થયા પૂવે ન અપાય તેનું કારણ અજેનેની આશ્રમ-વ્યવસ્થાને એ બાધક બને છે એમ નથી. કિન્તુ સ્વામિઅદત્તને દોષ લાગે માટે એનાથી બચવા આવું બંધારણ ઘડાયું છે.
પૃ. ૨૧માં દીક્ષા ક્ષમાશ્રમણ દે છે એમ કહ્યું છે. તે પૃ. ૩૩માં પૂજા વિષે ચર્ચા છે.
પૃ. ૧૩૦માં શંકરાચાર્યને જોઈને જગન્નાથની મૂર્તિ ઊંધી થઈ ગયા અને પૂ. ૧૩૧માં અલેપનિષદને ઉલ્લેખ છે.
૫ ૧૩૫માં સાધુ અને ગૃહસ્થ વચ્ચેના ભેદનું નિરૂપણ છે. પૃ ૧૭૮માં સંવાદિનું સ્થાન વિચારાયું છે.
૫. ૨૦૩માં શ્રેણિક મહારાજે સુવાવડનું કામ કર્યું એ વાત છે. તે દસયાલિય (અ. ૩)ની ચૂંણિ (પત્ર ૯૬)માં જોવાય છે.
સ્થાનકવાસી દિગંબરે વગેરે–પૃ. ૮, ૧૧ અને ૧૪૧માં સ્થાનકવાસી યાને ઢંઢીઆ વિષે, . ૧૧ અને ૩પમાં દિગંબરો વિષે અને પૃ. ૯૮માં શાન્તિસાગરીય વિષે કેટલીક હકીક્ત અપાઈ છે.
પરમાણુના સ્વરૂપ પરત્વે ચાર માન્યતા–નિયાયિક ને વૈશેષિકોને મતે બારીકમાં બારીક કણિયાને છઠ્ઠો ભાગ તે પરમાણુ છે. પૌરાણિક અને વેદાન્તીઓને મતે જાળિયાની વચમાંથી સૂર્યનું તેજ આવતું હોય તે વખતે દેખાતા રજનો