________________
ઉપઘાત ... "पंच महत्वया पण्णत्ता तं जहा-सत्वातो पाणातियायाओ वेरमणं जाव सव्वातो परिग्गहातो वेरमणं । पंचाणुब्धता पं० २० थूलातो पाणाइवायातो वेरमणं, थूलातो मुसावायातो वेरमणं थूलातो अदिन्नादाणातो वेरमणं, सदारसंतोसे, इच्छाરિમાને.”
સુત્તની ચાલુ સંખ્યાના હિસાબે આ ૩૮ર્ભે સુત્ત છે. એમાંના એક અંશ નામે “ત્તા Tirtતવાવાળો મને ઉદ્દેશીને અપાયેલાં ૭૨ વ્યાખ્યામાંથી અડીં ૨૩ રજૂ કરાયાં છે. પ્રસંગવશ સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ વિષયે ઉપર પણ પ્રસ્તુત વ્યાખ્યાતા આગદ્ધારક જૈનાચાર્ય
શ્રી આનંદસાગરસૂરિજીએ એમની લાક્ષણિક પદ્ધતિએ અસાધારણ પ્રકાશ પાડ્યો છે, અને એ સ્વાભાવિક છે. એનું કારણ એ છે કે આગમનું જેવું અને જેટલું પરિશીલન એમણે કર્યું છે તેવું અને તેટલું કેઈ અજેન વિદ્વાને તે શું પણ કઈ જૈન આધુનિક વિદ્વાને પણ અત્યાર સુધી તે કર્યું નથી. એમણે આગમનું સંપાદનકાર્ય હાથમાં લીધું તે પૂર્વે અન્ય સ્થળેથી
ડાક આગ પ્રકાશિત થયા હતા, પણ શુદ્ધિ, છાયા અને વિશિષ્ટ ટિપણની દૃષ્ટિએ વિચાર કરતાં એ પ્રકાશને નિસ્તેજ જણાય છે. જેમ આનંદસાગરસૂરિજીનો આગને અભ્યાસ અનન્ય કોટિને છે તેમ એના ઉદ્ધારના કાર્યમાં પણ એમને અજબ ફાળો છે. એમણે આગમને શિલામાં તેમજ તામ્રપત્રમાં કેતરાવરાવી એને ચિરકાલીન બનાવ્યા છે. આ પ્રમાણેની વિશિષ્ટ
૧ એમના જીવનની રેખા મેં સંસ્કૃતમાં આલેખી છે. જુઓ સ્તુતિચતુર્વિશતિકાની ચાર ટીકા સહિત સંપાદિત કરાયેલી મારી આવૃત્તિ (પૃ. ૮ અ-૮ ઈ).