SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ શ્રી મહાવીર જૈન વિદ્યાલય [સંવત ૧૯૦૧-૯૪ વિદ્યાર્થીઓમાં પ્રથમ આવ્યા. આ બહેનના પિતાશ્રી શ્રી છગનલાલ જીવણુલાલ પારેખે સંસ્થામાં પાંચ વર્ષ રહી ખી. ઇ. ની ડીગ્રી લીધી હતી અને હાલ ભાવનગર સ્ટેટ રેલ્વેમાં માસીસ્ટંટ એન્જીનિયરના હાડ઼ા ધરાવે છે. શ્રી વર્ગ માટે—કન્યામાંટે કાર્ય કરવાની આ સંસ્થાએ આટ્રસ્ટ દ્વારા શુભ શરૂઆત કરી છે. અને તેમાં ઉત્તરાન્તર ઘણા વધારા કરવા ચેાગ્ય છે અને બનતી સગવડે વ્હેન માટે વિદ્યાલય સ્થાપવા ચેાગ્ય છે એ આખતપર આ તકે ધ્યાન ખેંચવામાં આવે છે. આ શુભ શરૂઆત કરનાર એન લીલાવતીના કુટુંબીજનાના અને ખાસ કરીને શેઠ મેહનલાલ હેમચંદ ઝવેરીના આભાર માનવાની આ તક લઈ તેમનું અનુકરણ કરી છ્હેના માટે વિચારણીય ચાજના કેળવણીના ક્ષેત્રમાં કરે એટલું આ સંસ્થાના ઇતિહાસમાં જણાવવું પ્રસ્તુત લાગે છે. શ્રી મહાવીર લાન ફંડ સંસ્થાના છઠ્ઠા વાર્ષિક રિપોર્ટમાં જણાવવા મુજબ માજીસાહેબ જીવણલાલ પન્નાલાલ અને આ ભાઈઓએ ફંડ શરૂ કર્યું. તેના ઉદ્દેશ ગ્રેજ્યુએટ થયા પછી દૂર દેશમાં અભ્યાસ કરવા જનારને લેન રૂપે સહાય કરવાના છે અને તે રકમ વસૂલ થતાં તે દ્વારા અન્યને સહાય કરવાના છે. ફંડની શરતા નીચે પ્રમાણે છે: ૧. ફંડને મહાવીર લેાન ક્રૂડ નામ આપ્યું. ૨. વિશેષ અભ્યાસ માટે વિલાયત કે અમેરિકા આદિ કર દેશમાં જનારને તે રકમ ધીરવી, તેનું વ્યાજ ન લેવું. રકમ પાછી મેળવવાનું એગ્રિમેન્ટ કરવું અને જેને લેાન અપાય તેના વીમા સંસ્થાના મંત્રી અને કાશાધ્યક્ષ નામપર ઊતરાવવા. ૩. ટ્રસ્ટ ફંડના વહીવટ સંસ્થાની મેનેજીંગ કમિટી કરે, ફંડની રકમ દ્રસ્ટીઓના નામપર રહે. ૪. ફંડમાં જે જે રકમાના વધારો થાય તે આ ફંડ ખાતે ઉપરની શરતે જમે કરવા. ૫. આ ફંડની અલગ રહેતી રકમનું વ્યાજ ઉપજે તે તેના મૂળ રકમમાં વધારો કરવા. ૬. સદરહુ રકમ લેન તરીકે આપતી વખતે ો કેઇ વિદ્યાથી ખાજુ પન્નાલાલ હાઈસ્કૂલના વિદ્યાથી હાય તા તેને ખીજા સર્વનિયમ લાગુ પડતા હેાય તે અગ્રસ્થાન (પ્રેક્ન્સ ) આપવું. આ શરત માત્ર સદરહુ રૂા. ૭૫૦૦] ને લાગુ પડે છે. સદર કુંડમાં બાજી સાહેબ જીવણલાલજી અને ભાઈએ તરફથી રૂા. ૯૦૦જી અને શેઠ મણીલાલ ગાકુળભાઈ મુળચંદ તરફથી રૂા. ૨૦૦૦૬ મળી કુલ રૂા. ૧૧,૦૦૦નુ મળ્યા છે. ઈનામ અનામત ફંડ. છઠ્ઠા વર્ષમાં શેઠ સામચંદ ઉત્તમચંદે રૂા. ૨૫૦૦] ની રકમ સંસ્થાને ભેટ આપી તેને ઈનામી કુંડનું નામ આપવામાં આવ્યું. સંસ્થાની ધાર્મિક પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર યાગ્ય વિદ્યાર્થીઓને વ્યવસ્થાપક સમિતિ ઠરાવે તે પ્રમાણે સદરહુ રકમનું વ્યાજ આપવાનું છે અને ઈનામ આપતાં આવકના વધારે રહે તા તેના વ્યય ઇનામી નિબંધ ધાર્મિક વિષયપર
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy