________________
કર્મક્ષય અને પ્રવૃત્તિ
લેખકઃ કિશોરલાલ ઘ. મશરૂવાળા એક સજજન મિત્ર લખે છેઃ “કેટલાક સાધુઓ કહે છે કે કર્મને સંપૂર્ણ ક્ષય થયા વિના મેક્ષ સંભવ નથી. અને કર્મથી નિવૃત્ત થયા વિના કર્મક્ષય સંભવતા નથી. માટે નિવૃત્તિમાગ જ આત્મજ્ઞાન અથવા મેક્ષને માર્ગ છે. કેમકે, જે કાંઈ કર્મ કરવામાં આવે તેનું ફળ અવશ્ય થવાનું જ. એટલે કે, જ્યાં સુધી મનુષ્ય કર્મમાં પ્રવૃત્ત રહેશે ત્યાં સુધી, ભલે તે અનાસક્તિથી કરતો હોય તે, કર્મફળનાં ભારથી મુક્ત નહિ થઈ શકે. તેથી, કર્મબંધનનું આવરણ હવાને બદલે ઉલટું ઘાટું થશે પરિણામે, તેની સાધના ખંડિત થશે. લોકકલ્યાણની દૃષ્ટિએ ભલે અનાસક્તિવાળા કર્મયોગ ઈષ્ટ હોય. પણ તેથી આત્મજ્ઞાનની સાધના સફળ નહિ થાય. આ વિષે તમારા વિચાર જાણવા ઈચ્છું છું.”
મારા નમ્ર મત પ્રમાણે કર્મ શું, કમનું બંધન અને ક્ષય શું, પ્રવૃત્તિ અને નિવૃત્તિ શું, આત્મજ્ઞાન અને મેક્ષ શું, વગેરેની આપણી કલ્પનાઓ ઘણું અસ્પષ્ટ હોવાથી આ બાબતમાં આપણે ગૂંચવાઇ જઈએ છીએ, અને સાધનામાં ગોથાં ખાઈએ છીએ.
આ બાબતમાં પહેલાં એ સમજી લેવું જોઈએ કે શરીર, વાણી કે મનની ક્રિયા માત્ર એટલે કર્મ, એ જે અર્થ લઈએ તે જ્યાં સુધી દે છે ત્યાં સુધી કર્મ કરવાનું સાવ છોડી દેવું શક્ય જ નથી. કથાઓમાં આવે છે તેમ કઈ મુનિ સે વર્ષ સુધી નિર્વિકલ્પ સમાધિમાં નિષ્ટ થઈને ભલે પડી રહે. પણ જે ક્ષણે તે ઊઠશે તે પણ તે કાંઈક પણ કર્મ કરવાને જ. આ ઉપરાંત, જે આપણી એવી કલ્પના છે કે આપણું વ્યક્તિત્વ દેહથી પર જન્મજન્માંતર પામતું જીવરૂપે છે, તે તે દેહ વિના તે કિયાવાન રહેશે. જે કર્મથી નિવૃત્તિ થયા વિના કર્મક્ષય થઈ શકે એમ ન હોય તે કર્મક્ષય થવાને કયારે એ સંભવ નથી એમ અર્થ થાય.
માટે નિવૃત્તિ અથવા નિષ્કતાને અર્થ સ્થળ નિષ્ક્રિયતા સમજવામાં ભૂલ થાય છે. નિષ્કર્માતા સૂક્ષ્મ વસ્તુ છે. તે આધ્યાત્મિક એટલે બૌદ્ધિક, માનસિક, નૈતિક, ભાવના (લાગણી) વિષયક અને એથી એ પર બોધાત્મક (સંવેદનાત્મક) છે. , હા, પ, ૬ ચાર જણ ૫, , ૨, મ ચાર ભૂખ્યાઓને સરખું અન આપે છે. ચારે બાહ્ય કર્મ કરે છે, અને ચારેને સરખી સ્થળ તૃપ્તિ થાય છે. પણ હા લેભથી આપતે હોય, અત્ત તિરસ્કારથી આપ હય, જે પુચ્છાથી આપતિ હય અને આત્મભાવથી સહજપણે આપતા હોય. તેમ જ દુખ માની લેતે હય, મહેરબાની માની લેતે હૈય, જ ઉપકારક ભાવે લેતિ હેય અને મ મિત્ર ભાવે લેતા હોય. આવા ભેદને પરિણામે અવ્યય અને સુધાતૃપ્તિરૂપી બધાનું બાહ્ય ફળ સરખું હોવા છતાં કર્મનાં બંધન અને ક્ષયની દૃષ્ટિએ ઘણે ફરક પડી જાય છે. તે જ પ્રમાણે હ , ઇ પાસે , 9 ક સ અન્ન માગે, અને ચાર જણ તેમને ન જમાડે. તેમાં કર્મથી સરખી પરાવૃત્તિ છે; અને ચારેની સ્થળ ભૂખ પર સરખું પરિણામ થાય છે. છતાં, ન જમાડવાની કે ન પામવાની પાછળની બુદ્ધિ, લાગણી, નીતિ, સંવેદના વગેરેના ભદથી એ કમપરાવૃત્તિથી કર્મનાં બંધન અને ક્ષય સરખાં નહિ થાય.
ત્યારે, અહીં પ્રવૃત્તિ અને નિવૃત્તિ સાથે પરાવૃતિ અને વૃત્તિ શબ્દ પણ યાદ રાખવા જેવા છે. પરાતિ એટલે નિવૃત્તિ નહિ પણ ઘણાખરા લોક પરાવૃત્તિને જ નિવૃત્તિ માની બેસે છે. અને વૃત્તિ