SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ આપણી–અજોડ સંસ્થા. લેખકઃ મેહનલાલ દીપચંદ ચોકસી, રમણીય જહાજ અને એમાં સફર કરનાર આનદી ચહેરાના મુસાફરે માંડ કિનારાની મોજ ચાખી સાગરના ઊંડા પાણીમાં પ્રવેશ્યા ત્યાં તે એકાએક આકાશ વાદળોથી ઘેરાવા માંડયું શ્યામ અબ્રાના જબરા ધસારા હેઠળ અંશુમાલિના ફુર્તિદાયક ને ઉષ્મા પ્રગટાવતાં કિરણે અવરાઈ ચૂક્યા ! સાગરના પાણી હીલોળે ચઢ્યા! ભયંકર મેજએ નાવ સાથે અથડાવા માંડ્યાં! એથી વિશાળ એવું એ જહાજ રબરના દડાની માફક ઉછળવા લાગ્યું. પ્રચંડ વાયુનું તેફાન શરૂ થયું! સાથોસાથ વિજળીના કડાકા અને મેધરાજાને ગૌરવ પણ આરંભાયે! ચારે દિશાએથી આફતના પૂર ઉભરાયા નિરખી, ઘડીભર સુકાની પણ કિંકર્તવ્યમૂઢ બન્યા વિધિની અકળ કળાને વિચારમાં લીન થયો ! “સુકાની, સુકાની, સાવધ થના અવાજે ઊઠવા લાગ્યા. વિપત્તિને વેગ વધવા માંડ્યો હતે. મુસીબતને પાર ન હેતિ રહ્યો. નિરાશા તે સામે ડાચું ફાડી ઊભી હતી. એ સમય જેના હાથમાં સુકાન હતું તેને માટે ન હોત વિચારવશ બની લમણે હાથ દેવાનો કે ન હેતે હૈર્ય ગુમાવી નબળાઈ દાખવવાને. સુકાનીને ચહેશે નિસ્તેજ જણાય તે ખેલ ખલાસ હતે. મુસાફરોની જીવા દેરીને અંત એ વિષણ ચહેરામાં છુપાયે હતિ. - “God helps them, who help themselves” એ સૂત્રને સધિયારે લઈ, નાવિક હૈયું કઠણ કર્યું. અનુપમ હામ ભીડી નાવનું સંચાલન ચાલુ રાખ્યું. ઝંઝાવાતના કપરા નાદ કે વરસાદની સખત ઝડીઓની જરાપણ પરવા ન કરી. જાણે એ ભયંકર સંકટ સામે આંખ બંધ કરી, કેઈપણ હિસાબે નાવને સહીસલામત રીતે નિશ્ચિત સ્થળે લઈ જવાનો નિશ્ચય પર ચિત્ત સ્થિર કરી, ભરદરિયે નાવ હંકાર્યું રાખ્યું. “ સામાનિ, સા રે પતિયામિ' એ જાણે દઢ નિર્ધાર ! આ ચિત્ર સાથે વિદ્યાલયની પરી થતી પચ્ચીશીને સરખાવવાનું મન સહેજે થાય તેમ છે. જૈન સમાજ જેવા શ્રદ્ધાપ્રધાન સમૂહમાં “શ્રી મહાવીર જૈન વિહાલય” જેવા પવિત્ર નામાભિધાનવાળી સંસ્થા અને શિક્ષણ જેવું ઉચ્ચ ધ્યેય છતાં એ સામે એક કાળ જેવો તે ખળભળાટ ન હતો જ. સુન્દર એવાં નામ ને કામ ચર્ચાનો વિષય બન્યાં હતાં! એ દેડકાંપ્રકરણની સ્મૃતિ આજે પણ ગ્લાનિ પ્રગટાવે છે! એક “ગિના ગાડરિયા ઉલકાપાતની આંધિ દીર્ધદષ્ટિથી ન અવરોધાઈ હતું તે કેવું દુઃખદ પરિણામ આવતે એ વિચારતાં આજે પણ ક્ષોભ થાય છે. એ કપરી વેળાયે સંસ્થાના સ્થાપકે ધીરજ ધરી કામ ન લીધું હતે-અરે સુકાનીઓએ લાંબી નજર દોડાવી ધટતાં પગલાં ન ભર્યા હતે-તે આજે રજત-મહોત્સવ ઉજવવાને પ્રસંગ લાભી શત ખરે? વાતાવરણ એટલી હદે કલુષિત કરી મેલવામાં આવેલ કે જાણે સંસ્થાનું મકાન એટલે અધર્મનું ધામ અને ડોક્ટરી લાઈન એટલે ઘોર પાપનો ધંધે! ગણ્યા ગાંઠ્યા વિદ્યાર્થીની સ્કૂલના કે એકાદ બેને અવિનય એટલે સારી સંસ્થા અધર્મ ને પાપથી ભરેલી ! અને સાથે વિવાથીવર્ગ “અંગારાને પાક! આ જાતના વિપરીત પ્રચાર સંસ્થા સામે ભયંકર રોષ પ્રગટાવ્યો ! દાતાઓમાં સંભ પિદા કર્યો ! સંસ્થાના ચાહકોમાં વણમાગ્ય વિસંવાદ નેતા આળસ મરડી માંડ ટટાર થતી–બાલ્યભાવ ત્યજી માંડ તરુણાવસ્થામાં પ્રવેશ પામતી-સંસ્થા એકાએક ચીમળાઈ–કરમાઈ અને હતી ન હતી થવાના તેલ ગગડી રહ્યા.એક પલકારામાં વર્ષોની મહેનત પર પાણી ફરી વળવાની ઘડીઓ ગણાવા લાગી !!
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy