SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ હોવાનું પણ સિદ્ધ થાય છે. ખાસ આટલી વસ્તુ સિવાય તેઓશ્રીના જીવન સંબંધી કાંઈપણ વિશેષ માહીતી મળતી હોય તેમ જાણવામાં આવેલ નથી. તેઓશ્રીએ રચેલ શ્રી લઘુક્ષેત્ર સમાસ પણ વૃત્તિયુત, શ્રી શ્રી પાલચરિત્ર પ્રાકૃત, શ્રી ગુણસ્થાનકમારેહ પજ્ઞ વૃત્તિયુક્ત, સ્વપજ્ઞ ગુરૂગુણષત્રિશિક, દિન શુદ્ધિ પ્રાકૃત છન્દો ગ્રન્થ વિગેરે અનેક સાહિત્યથી પૂજ્યવર્ય શ્રી ગ્રન્થકાર મહર્ષિનું દ્રવ્યાનુયેગ-ગણિતાનુગ-ચરિતાનુયોગ-વિગેરે દરેક વિષયમાં સુનિષ્ણાતપણું હોવાનું જણાઈ આવે છે. * પજ્ઞશ્રાદ્ધવિધિ, શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ, આચારપ્રદીપ વિગેરે ગ્રન્થના પ્રણેતા બીજા પણ તેજ નામના શ્રીમદરત્નશેખરસૂરિજી મહારાજા યદ્યપિ શ્રી લઘુક્ષેત્ર સમાસ વિગેરે ગ્રન્થોના રચયિતા પૂર્વોક્ત જણાવેલ શ્રીમાનું રતનશેખર સૂરિજી મહારાજાના સમકાલીન તેમજ સમાનનામવાળા હોઈ બન્નેના અભેદ સંબંધી શંકા થવાને પ્રસંગ હોવા છતાં તેઓ બૃહત્તપાગચ્છાચાર્ય શ્રીમાન સોમસુન્દરસૂરિજી મહારાજાના શિષ્ય મુનિસુંદરમહારાજાના શિષ્ય હોવાથી આપણુ ગ્રન્થકારથી ચોક્કસ ભિન્ન હોવાનું સાબીત થાય છે. પૂજ્ય શ્રીમાન જ્ઞાનસાગરજીમહારાજા, પૂજ્યપ્રવર શ્રી જયચન્દ્રસૂરિજી મહારાજ, શ્રીમાન સેમસુન્દરસૂરિ, શ્રી કુલમંડનસૂરિ, શ્રીમાન ગુણરતનસૂરિ, શ્રી ક્ષેમકીર્તિ, શ્રી સત્યશેખર, તેમજ શ્રીમાન મુનિસુન્દર સૂરિ મહારાજા વિગેરે સમર્થ તેમજ વિદ્વદ્વિશારદ મહાન પુરૂ શ્રી લઘુક્ષેત્ર સમાસ વિગેરે ગ્રન્થના રચયિતા શ્રીમાન શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના સમકાલીન હાઈ પંદરમે સકે પ્રાજ્ઞશિરોમણિ પુરૂષથી વિભૂષિત હોવાનું પણ ચેકસ અનુમાન થાય છે. ભાષ્યસુધાભાનિધિ શ્રીમાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત શ્રી બ્રહક્ષેત્રસમાસ ગ્રન્થમાં આ લઘુક્ષેત્રસમાસ ગ્રન્થની અપેક્ષાએ ઘણાજ વિસ્તાર છે તે પણ દુષમકાળમાં બુદ્ધિ-બળ—આયુષ્યની કમશ: હાનિ હોઈ સામાન્ય બુદ્ધિવાળા છે માટે આ ગ્રન્થ ઘણાજ ઉપયોગી છે. અત્યાર સુધીમાં શ્રીલઘુક્ષેત્રસમાસનું ભાષાંતર ઘણુ વખત પહેલા શ્રી ભીમસિંહ માણેક તરફથી તેમજ આ ગ્રંથ આ માળા તરફથી આ ગ્રન્થની છપાતો જાણવા છતાં એકાએક ખાસ તૈયાર કરી હમણું બે વિશિષ્ટતા. ત્રણ મહિના અગાઉ શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી બહાર પડેલ હોવાનું જાણવામાં છે. યદ્યપિ બને ભાષાંતરોમાં રીતસર યંત્રો વિગેરે આપવામાં આવેલ છે. તોપણુ-મૂલગાથા-શબ્દાર્થ છાયા ગાથાર્થ વિસ્તરાર્થ ટિપ્પણીઓ સ્થલે સ્થલે યંત્રે તેમજ જુદા જુદા ક્ષેત્રે સંબંધી રંગબેરંગી આકર્ષક લગભગ ૫૦ ચિત્રો, તથા છેવટે મૂલ ગાથાઓ વિગેરેને ખાસ સંગ્રહ આ ગ્રન્થમાં કરેલ હોવાથી આ ગ્રન્થના અભ્યાસકેને ઘણીજ ઉપકારક થઈ પડશે એમ અમારૂં ચેકસ માનવું છે. એટલું તો ચેક્કસ કહેવું પડશે
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy