________________
૨૧
શ્રી કલ્યાણમંદિર તેત્ર
હે સ્વામી આપ હૃદય વિષે આવો તદા પ્રાણીતણા, ક્ષણમાત્રમાં દઢ કર્મબંધન જાય તૂટી જગતણું; વનમાં મયૂરે મધ્યમાં જેવી રીતે આવ્યા થકી, ચંદનતણ તથી જ સર્પો સદ્ય છૂટે છે નકી. ૮ દર્શન અહે જિસેંદ્ર માત્ર મનુષ્યને જે થાય છે, તે સેંકડે દુઃખ ભય ભરેલાં સહેજમાં ટળી જાય છે; ગોવાળ કિંવા સૂર્ય તેજસ્વી તણું દીઠાં થકી, પશુઓ મુકાયે સધ જેવા નાસતા ચેરે થકી. ૯ રિક તમે જિનરાજ કેવી રીતથી સંસારનાં ? તમને હદયમાં ધારી ઉલટા તારતા સંસારી; આશ્ચર્ય છે પણ ચમકેરી મસકથી સાચું ઠરે; અંદર ભરેલા વાયુના આધારથી જળને તરે. !! ૧૦ હરિ, હર અને બ્રહ્માદિના જ પ્રભાવને જેણે હો, ક્ષણમાત્રમાં તે રતિપતિને સહેજમાં આપે હણે જે પાણી અગ્નિ અન્યને બુઝાવતું પળ વારમાં, તે પાણીને વડવાળે પીધું ને શું ક્ષણવારમાં ? ૧૧ હે સ્વામી ! અતિશય ભારવાળા આપને પામ્યા પછી, કેવી રીતે પ્રાણું અહો ? નિજ હૃદયમાં ધાર્યા થકી; અતિ લઘુપણે ભવરૂપ દરિયો સહેજમાં તરી જાય છે, અથવા મહાન જનતણો મહિમા અચિંત્ય ગણાય છે. ? ૧૨ હે પ્રભુ ! જ્યારે પ્રથમથી આપે હીતે દોધને, આશ્રર્યા ત્યારે કેમ બન્યા કર્મરૂપી ચેરને ? અથવા નહીં આ અવનિમાં શું દેખવામાં આવતું ? શીતળ પડે જે હિમ તે લીલાં વને. બાળતું !! ૧૩ હે જિન થી આપને પરમાત્મથી સદા, નિજ હૃદય કમળ જ્ઞાનરૂપી ચક્ષુથી અવકતા; પુનિત નિર્મળ કાંતિવાળા કમળનું બી સંભ, શું કમળકેરી કર્ણિકાને મધ્ય વિણ બીજે સ્થળે. ૧૪ ક્ષણમાત્રમાં જિનરાજ ભવિજન આપકેરા ધ્યાનથી, પામે દશા પરમાતમની તજી દેહને પ્રભુ જ્ઞાનથી;
મિ તિવ્ર અગ્નિ તાપથી મિશ્રિત ધાતુ હોય તે, પથ્થરપણાને ત્યાગીને તત્કાળ એનું થાય છે. ૧૫ હે જિન હંમેશાં ભવ્ય જન જે દેહના અંતર વિષે, ધરતાં તમારું ધ્યાન તેને નાશ કરતા કેમ તે; અથવા સ્વભાવ મહા નૂજન મધ્યસ્થ એવો સદા. વિગ્રહણ કરી નાશ ને શાંતિ પ્રસારે ઉભયથા. ૧૬