SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ખેરાં વર્લ્ડ હિરણું ચ, ચારિ કાનખત્પાણિ, મિતવં જયવં હોઈ અપાયંકે મહાપને, ભેચ્છા મણુસ્સએ ભએ. પુäિ વિશુદ્ધસદ્ધમે, ચરિંગ નમ્યા, તવસા ધુમ્મસે શ્રી જેને જ્ઞાન સાગર પસવો દાસપર્સ તત્ય સે ઉવવજજઈ. ૧૭ ઉચ્ચાગોએ ય વણવં; અભિજાએ જબલે. ૧૮ અપડિરૂવે અહાઉયં; કેવલ બેહિ બુજઝિયા ૧૯ સંજમં પરિવજિજયા; સિદ્ધ હવઈ સાસએ. ૨૦ દુલહું અર્થ - મેક્ષ પામવાનાં ઉત્કૃષ્ટાં ચાર અંગ તે, ૧ મનુષ્યપણું ૨ સૂત્રનું સાંભળવું: ૩ ધર્મ ઉપર શ્રદ્ધા અને ૪ સંયમને વિષે બળનું ફોરવવું. એ ચાર મોટાં કારણુ આ સંસારમાં જીવને મળવાં દુર્લભ છે. ૨ સંસારમાં રહેલા જીવોએ નાનાં (અનેક) પ્રકારનાં ગોત્ર તથા જાતિને વિષે જ્ઞાનાવરણાદિક અનેક પ્રકારનાં કર્મો કરી જુદી જુદી એકૅકિયાદિક જાતિથી સર્વ લેક ભર્યો છે. ૩ એકદા શુભ કર્મો કરી છવ દેવલોકમાં જાય. એકદા પાપકર્સે કરી નરકગતિમાં જાય અને એકદા અસુરની જાતિમાં જાય, એ પ્રમાણે જેવાં કર્મ કરે તેવી ગતિએ જાય છે. ૪ એકદા ક્ષત્રી (રાજા) થાય છે, ત્યાર પછી ચંડાળ થાય, બુકકસ થાય, કીડે થાય, પતંગીઓ થાય અને કીડી થાય છે. ૫ એ પ્રમાણે છેવો ચોરાશીલક્ષ છવાયોનિમાં પરિભ્રમણ કરે છે. કર્મરૂપ મેલથી મલિન થયેલા છે સંસાર સમુદ્રથી નિવર્સે નહિ. જેમ સર્વ અર્થને વિષે રાજા પાછો હઠે નહિ તેમ કર્મ કરવામાં જીવ પાછો હટે નહિ. ૬ કમને યોગે જીવ મૂઢ થાય, દુઃખીઓ થાય, ઘણી વેદના ભોગવવાવાળો થાય અને મનુષ્યથી ઊતરતી નિમાં વિશેષ હણાય છે. ૭ અનેક ભવ પરિભ્રમણ કરી કેટલેક કાળે જીવ અશુભકમને હણી વિશુદ્ધકર્માને પામવાથી મનુષ્યપણું અંગીકાર કરે છે. ૮ મનુષ્યનું શરીર પામીને ધમં સાંભળવાનું મળવું દેહ્યલું છે, જે ધર્મ સાંભળવાથી જીવ બાર પ્રકારે તપ, ક્ષમા અને દયા અંગીકાર કરે છે. ૯ કદાચ ધર્મનું સાંભળવું પામે તો ધર્મમાં શુદ્ધ શ્રદ્ધા થવી અતિ દુર્લભ છે, કેમકે ન્યાયમાગ (મેક્ષમાર્ગ) સાંભળીને પણ જમાલી પ્રમુખ ઘણું લેકે ભ્રષ્ટ થાય છે. ૧૦ વળી ધર્મનું સાંભળવું અને શ્રદ્ધા પામે પણ સંયમને વિષે બળ ફેરવવું દુર્લભ છે, કેમકે શ્રેણિકાદિ ઘણા લેકે ઘર્મને ચાહતા થકા પણ ચારિત્રધર્મ અંગીકાર કરી શકતા નથી. ૧૧ મનુષ્ય ભવ પામીને જે કઈ ધમ સાંભળીને સરદહે અને તપસ્વી થઈ સંયમને વિષે બળ ફેરવે તે પુરુષ આશ્રવ ફુધી કમંરૂ૫ રજને ટાળે. ૧૨ વળી કપાયરૂપ મેલ ટાળીને નિર્મળ થાય, જિનભાપિત શુદ્ધધર્મને વિષે નિશ્વળ પણે રહે અને ઉત્કૃષ્ટી મોક્ષગતિને પામે ઘીએ સીંચેલા અગ્નિની પેઠે તપ તેજે કરી દીજે. ૧૩ મિથ્યાત્વાદિ કર્મના હેતુને ટાળે. દશ પ્રકારે ક્ષમા આદરીને સંયમને સંચય કરે છે, માટીના કાચા ભાજન જેવું (દારિક શરીર છાંડીને મેક્ષ, દેવલોક આદ ઉચ્ચ ગતિએ જાય. ૧૪ અનેક પ્રકારની આકરી ક્રિયા કરીને સાધુ ઊંચામાં ઊંચા દેવતાઓ થાય છે. ચંદ્રમા, સૂર્યની માફક અતિ તેજે દીપતા થકા, મરવું નથી એવું માની સુખે રહે છે. ૧૫ દેવતાનાં કામભાગ બન્યા છે તેમાં આસક્ત થઈ, ચિંતવે. તેવાં રૂપ વિકર્વતા ૧. માતા બ્રાહ્મણી, પિતા ચંડાળ હોય તેને બુકકસ કહીએ.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy