SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ ગર્ભ વિચાર રક્ષણ કરવા અર્થે, સંસારી સુખના પ્યારની હદ મર્યાદા કરે છે. તેથી તેવી સ્ત્રીઓ પુત્ર-પુત્રીનું સારું ફળ પામે છે. એકલા રૂધિરથી કે એલા બિંદુથી પ્રજા પ્રાપ્ત થતી નથી તેમજ ઋતુના રૂધિર, સિવાય બીજા રૂધિર, પ્રજાપ્રાપ્તિને કામે આવતાં નથી. એક ગ્રંથકાર કહે છે, કે સૂક્ષ્મ રીતે સોળ દિવસ સુધી રૂતુસ્ત્રાવ રહે છે. તે રોગીને નહિ પણ નિરોગી શરીરવાળી સ્ત્રીને તેમ થાય છે, અને તે પ્રાપ્રાપ્તિને લાયક કહેવાય છે. તે સળમાંથી પહેલાં ત્રણ દિવસને ગ્રંથકારો નિષેધે છે. તે નીતિમાર્ગને જાય છે. અને તે ન્યાય પુણ્યાત્મા છવો કબૂલ રાખે છે. બીજે મતે ચાર દિવસને નિષેધ છે, કારણ કે ચોથે દિવસે ઉપજેલ છવ, થોડા જ વખતમાં મરે છે તે છવ તે શક્તિહીણ થાય, ને મા-બાપને બોજારૂપ નીવડે છે. પાંચમાંથી સોળમી સુધીના દિવસો નીતિશાસ્ત્રના ન્યાય મુજબ ગર્ભાધાન સંસ્કારના ગણાય છે. તેમાંનું એક બાળ-બીજક ચડતા ચડતું બળિયાવર, રૂપમાં તેજમાં, બુદ્ધિમાં અને એ વગેરે સર્વ સંસ્કારોમાં. શ્રેષ્ઠ તથા દીર્ધાયુષ્યવાળું અને કુટુંબપાલક નીવડે છે પાંચથી સોળમી સુધીની અગિયાર રાત્રી છે, તેમાંથી છઠ્ઠી, આઠમી, દશમી, બારમી, ને ચૌદમી એ પાંચ બેકીનું રાત્રીનું બીજક બહુવચને પુત્રીરૂપ ફળ આપે છે. તેમાં વિશેષ એ છે કે પાંચમી રાત્રીમાં, ઉપજેલી પુત્રી જન્મવા પછી ઘણું પુત્રીઓની માતા થાય છે, પાંચમી, સાતમી, નવમી, અગિયારમી, તેરમી, અને પંદરમી એ એકીની રાત્રીનું બીજક પુત્રરૂપે જન્મી બહાર આવે છે. અને તે ઉપર કહેલા ગુણવાળું નીવડે છે. દિવસનું બીજક શાસ્ત્રથી નિષેધ છે, તેમ છતાં થાય તે કુટુંબની વ્યવહારિક સુખની તથા ધર્મની હાનિ કરનાર નીવડે છે. બીજકની રીત-બિંદના રજકણે વધારે અને રૂધિરનાં ચેડાં હોય તે પુત્રરૂપ ફળ . નીપજે છે. રૂધિર વધારે ને બિંદુ થતું હોય તે પુત્રીરૂપ ફળ નીપજે છે. બે સરખાં હોય તે નપુંસકરૂપે ફળ નીપજે છે. (હવે તેનું ઠેકાણું કહે છે.) માતાની જમણી કૂખે પુત્ર, ડાબી કૂખે પુત્રી અને બે કુખની વચ્ચે નપુંસક પાકે છે. (હવે તે ગર્ભની સ્થિતિ કહે છે.) મનુષ્ય ઉત્કૃષ્ટ બાર વરસ ગર્ભમાં જીવતે રહી શકે છે, તે પછી મરે છે, પણ શરીર રહે છે, તે શરીર વીસ વરસ સુધી રહી શકે છે. તે સૂકા શરીરમાં ચોવીસમે વરસે નો જીવ ઉપજે તે મહા મુશીબતે જન્મે. ન જન્મે તે માતા મરે. સંસી તિર્યંચ આઠ વરસ સુધી ગર્ભમાં જીવતે રહી શકે છે (હવે આહારની રીત કહે છે.) નિ કમળમાં આવી ઊપજનારે જવ, પ્રથમ માતાપિતાનાં મળેલા મિશ્ર પુગલને આહાર કરીને પછી ઉપજે છે તેને અર્થ પ્રજાદ્વારથી જાણો. વિશેષ એટલું જ કે અહીંના આહારમાં માતા-પિતાનાં પુદ્ગલ કહેવાય છે. તે આહારથી સાત ધાતુ નીપજે છે. તેમાં પહેલું સી, બીજુ લેહી, ત્રીજું માંસ. એથું હાડ, પાચમું હાડની મજજા. છડું ચમ, સાતમું વીર્ય ને નશા જાળ, એ સાતે મળીને બીજી શરીર પર્યાય અર્થાત્ સમ પૂતળું કહેવાય છે. છ પર્યાય બંધાય પછી તે બીજક સાત દિવસમાં ચોખાના ધોવાણ જેવો તેલદાર થાય છે. ચૌદમાં દિવસ સુધીમાં પાણીના પરપોટા જેવા આકારમાં આવે છે. એકવીસમાં દિવસ સુધીમાં નાકના નિલેષ્મ જેવો અને અડાવીશમાં દિવસ સુધીમાં અડતાલીશ માસા જેટલો વજનદાર થાય છે. પૂરે મહિને બેરના ઠળીઆ જેવડે, અગર છેટી કેરીની ગોટલી જેવો થાય છે. તેનું વજન એક કરખણું ઊણું એક પળનું થાય છે તે પળ એને કહેવાય છે; કે સોળ માસનું એક કારણ તેવા ચાર કરખણના તેલને ૫ણ કહેવાય છે. બીજે ભાસે કાચી કેરી જેવો, ને ત્રીજે ભાસે પાકી કેરી જેિ થાય છે. તે વખતથી ગર્ભ પ્રમાણે માતાને ડહોળા (દોહ-ભાવ) થાય છે. અર્થાત સાથે ગમે ઊંચા અને નરસે ગર્ભે નીચા મનોરથ થાય છે અને તે કર્મ પ્રમાણે ફળે છે. તે ઉપરથી સારા
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy