________________
શતક ૧૨ મું: ઉદ્દેશક-૨
રૂપ દેનાર છે. પણ આ વાત જૈન શાસનમાં પ્રામાણિક નથી કેમકે પિતાનું શુકપતન યદિ પુત્પત્તિમાં કારણભૂત હોય તે જ્યારે શુકપતન થાય ત્યારે માતાની કુક્ષિમાં પ્રતિદિન સંતાનને આવવું જોઈએ. પણ આવું કેઈ કાળે થયું નથી, થતું નથી અને ૩૩ કરોડ દેવી દેવતાઓની સહાયતા મળે તે પણ થવાનું નથી આના અનુસંધાનમાં કેઈએમ કહી શકે છે કે પતિત થતા પિતાના શુદ્ધ સાથે માતાના રજતુ મિશ્રણ થવુ અત્યાવશ્યક છે” આવી દલીલનો જવાબ એ હોઈ શકે કે “માતા પિતાની શારીરિક શક્તિ, ખોરાક, ઔષધાદિ છેક સુધી એક સરખા હોવા છતાં પણ પ્રતિદિન શુક્ર અને રજનું મિશ્રણ થવામાં અને તેમાં પ્રતિદિન એક એક સંતાનને કુક્ષિમાં આવવામાં કર્યો બાધ આવતું હશે ? તે બનેનું મિશ્રણ આજે, કાલે કે પમ દહાડે થતું નથી અને વર્ષે બે વર્ષે કે ત્રણ વર્ષે કેમ થતુ હશે? કેણ કરતુ હશે? કેવી રીતે કરતુ હશે? અને આજે જ મિશ્રણ ન થાય તેમા કયું કારણ ? ત્રીજે વાદી એમ કહે છે કે, “મિશ્રણ થવામા ઈશ્વરની મરજી કારણભૂત છે.” તે આ વાત પણ ચગત નથી કારણ કે જગકર્તા ઈશ્વર માતાપિતાના આવતી કાલના સ ભોગમાં શક અને રજ ભેગાં કરે તે આજના સંગમા જ ભેગા કરે તે તેને શો વાંધો આવે એમ છે? જેથી ચાલીસ ચાલીસ દિવસ સુધી ખાધેલા સાલમપાક, બદામપાક, કેસરિયા દૂધ અને ઘી રોટલાથી બનેલાં વીર્ય અને રજ બેકાર તે ન જાય ? મૈથુન કર્મમા સહજરીતે માનસિક ક્લિષ્ટ પરિણામે જ હોય છે, તે બિચારા પુરુષનાં સત્કર્મો બગાડીને તેમનાં વીર્ય અને રજનો નાશ કરાવવામાં ઈશ્વરને મજા આવતી હોય તો તે પરમાત્મા શી રીતે કહેવાશે કેમકે આવા છે જે બીજાની મશ્કરી કરે, તેમનાં સત્કાર્યોને બગાડે