________________
૩૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આનંદ અને આશીર્વાદ મેળવી શકતા નથી, અને પુનઃ પુનઃ પાપસ્થાનના સેવનથી પાછા દુર્ગતિ તરફ પ્રસ્થાન કરી કેટલાંય કાળચો પૂરા થાય તે પણ ચરમાવર્તમાં પ્રવેશી શતા નથી, અને સમ્યગ્દર્શનનો પ્રકાશ મેળવવા સમર્થ બનતા નથી. જાત્યાધ માણસ જેમ કંઈ પણ જોઈ શકતા નથી તેમ આવા જીના જન્મ સમયે ગમે તેટલા તીર્થકરો થાય તે પણ તેમને ધર્મ પ્રત્યે રુચિ થતી નથી અને સમ્યગમાર્ગમાં આવી શકતા નથી ” આ પ્રમાણે ભગવાનની વાત સાંભળીને પર્ષદા પાપભીરૂ બની ધર્મધ્યાનમાં ઉદ્યમવંત બની.
ભવસિદ્ધિક જીવો માટે વક્તવ્યતા :
પ્રશ્ન-૨ જયતી શ્રાવિકા પૂછે છે: “હે પ્રભે! જીને ભવસિદ્ધિપણું સ્વાભાવિક છે કે પારિણામિક છે?”
ભગવતે કહ્યું કે, “ભવસિદ્ધિકત્વ સ્વાભાવિક જ હોય છે, પરિણામિક હેતું નથી જીવનુ ચૈતન્ય સ્વાભાવિક છે. પહેલા ચૈતન્ય હતું નહીં પણ ઈશ્વરની માયાથી તેમાં ચૈતન્ય આવે છે અથવા સમવાય સંબધથી ચૈતન્ય આવે છે. એ બધી મિથ્યા વાણી હોવાથી તર્કસંગત કે આગમ સંગત નથી જ્યારે બાલત્વ, યૌવન, વૃદ્ધત્વ, સ્થૂળત્વ, કૃશત્વ એ બધા પરિણામિક ભાવે છે, જે આવે છે ને જાય છે. બાળકમાં બાલત્વ આવે છે ને એક દિવસ તે સર્વથા ચાલ્યું પણ જાય છે. ત્યારે ચૈતન્યમા વૃદ્ધિ કે હાલ ભલે થાય તે પણ જીવમાંથી ચૈતન્ય કેઈ કાળે અને કેઈનાથી પણ જતુ નથી પત્થરમાં મૂર્તિ કે સ્ત ભ આદિ પરિણામે મા ફેરફાર કાળને લઈને થતા હશે, તે પણ એમાં રહેલું સ્વાભાવિક કાઠિન્ય ફેરફાર પામતું નથી. પરિણામિક