________________
૨૯
શતક ૧૨ મું ઉદ્દેશક-૨ તેમનું અનુમદિન પ્રશ સાદિ કરવાથી જીવ ભારે કર્મી બને છે. ભારે વજનદાર પદાર્થો જેમાં નીચેની તરફ જાય છે તેમ તેવા જીવે અધગતિ એટલે નરકગતિ તથા તિર્યંચગતિમાં જ જાય છે, જ્યાં સ્પષ્ટ અસ્પષ્ટ વેદનાઓ ભેગવવાની હોય છે, અને કદાચ આવા જ મનુષ્યગતિમાં આવે તો પણ નીચ જાતિ અને નીચ કુળમાં જન્મ લેવા ઉપરાંત ખાનપાન રહેઠાણ આદિમા ઘણું જ દરિદ્ર હોવાથી તિર્ય કરતાં સખ્ત મજૂરી કરવા છતા પણ ભૂખ્યા પેટે ઊઠે છે અને ભૂખ્યા પેટે સૂવે છે. પહેરવાનાં કપડાં નથી, રહેવા માટે સ્થાન નથી, સૂવા માટે જમીન નથી તથા અત્યંત ગંદા સ્થાનમાં, ઝૂંપડપટ્ટીમા, સર્વથા કાચા કાગળ આદિનાં ઝૂંપડાઓમાં ટૂંકી-સર્વથા ટૂકી જમીનમાં જ રહેવાનું હોય છે. ઠંડી, ગરમી અને વરસાદની ત્રણેય સમ તેમને માટે વગર મતે મોત જેવી હોય છે. કદાચ થોડું ઘણું પુણ્ય જેર કરે તે સારા સ્થાને જન્મી શકે છે, પણ પૂર્વભવમા કરેલાં પાપને લઈને અર્થ અને કામનાં સાધનો સાથે બારમે ચંદ્ર હોવાથી તેઓ આખેય દિવસ આર્તધ્યાનમાં અને રાતે તડફડિયાં મારતાં જીવનનો મોટો ભાગ પૂર્ણ કરે છે. આનાથી વધારે પુણ્ય કદાચ હોય તે ભૌતિક સાધને સારા પ્રમાણમાં મળતાં હોવા છતાં પણ કૌટુમ્બિક કલેશ, પડોશીઓ સાથે કલેશ ભેગવ પડે છે, તથા પાપસેવન અમર્યાદિત હોવાથી એકબીજાના હાડવૈરી બનીને એકબીજાના મતને માટે શા ચલાવે છે, અથવા ભયંકરમાં ભયંકર જીભાજોડી દંતક્લેશ તથા હાથે હાથ મારામારીમાં રીબાતા રીબાતા રૌદ્રધ્યાનમાં જ જિંદગી પસાર કરે છે. તેના કારણે મેળવેલા પુણયકનાં સાધને પણ ભેગવી શકાતા નથી. ગવાતા હોય તે તેમાથી