SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ભગવાન મહાવીરસ્વામી ગ્રામાનુગ્રામ વિહાર કરતા અહીં આવ્યા છે. તેમનું નામ સાંભળતા જ અનંત પુણ્ય ખ ધાય છે. તે તેમને કરેલું વદન, નમન પ`પાસન અને તેમના શ્રીમુખે સાંભળેલા શબ્દોથી થતા લાભનુ તા પૂછવું જ શું? માટે તૈયાર થાઓ, પ્રમાદ છેડા, આલસ્ય ત્યાગા અને આપણે બધા ભગવાનના સમવસરણમા જઈ માનવજીવન સફળ બનાવીએ.’ એમ કહીને પેાતાના સેવક પાસે ઉત્તમમાં ઉત્તમ રથ તૈયાર કરાબ્યા, તેમાં એસી સમવસરણ તરફ પ્રસ્થાન કર્યુ અને સમવસરણને દેખતાં જ રથ નીચે ઉતરીને અંદર પ્રવેશ કર્યાં. ત્રણ પ્રદક્ષિણા કરી, તથા નમન–વંદન કરી યથાયેાગ્ય સ્થાને બેસીને એકાગ્ર ચિત્ત ધર્મોપદેશ સાંભળ્યે દેશનાન્તે વિધવા, મહા-વિદુષી, જીવાજીવાદિ તત્ત્વાના જાણનાર, અરિહંત પ્રત્યે અનન્ય રાગ ધરાવનાર, જૈન સાધુ સાધ્વીજીના પરમે પાસિકા, જૈનશાસનની આરાધનામાં પૂર્ણ જાગૃત, સુંદર વક્તૃત્વશાળી, ઉત્તમ વ્યક્તિત્વશાળી જય'તી શ્રાવિકા સમયે સમયે ભગવાન મહાવીરસ્વામીને પ્રશ્નો પૂછવા લાગ્યા અને ભગવાને તે પ્રશ્નોના જવાએ આપ્યા ત્યારે શકા-આકાંક્ષા-વિચિકિત્સા વિનાના થયેલા તે શ્રાવિકા પરમાનંદ પામીને અતિશય સ્વસ્થ થયા. દેશનાન્તે પ્રભુ સન્મુખ બે હાથ જોડી માથુ નમાવીને તેમણે પૂછેલા પ્રશ્નો નીચે પ્રમાણે છે જીવ ભારે શાથી અને છે ? પ્રશ્ન-૧ હૈ પ્રભુ ! કયા કાર્યાં કરવાથી જીવ ભારે બને છે? વજનદાર બને છે.? જવામમાં ભગવતે ફરમાવ્યું કે : હે જયંતી શ્રાવિકા ! પ્રાણાતિપાત મૃષાવાદ યાવત્ મિથ્યાત્વ નામના પાપસ્થાનકાનાં સેવનથી, સેવન કરાવવાથી અને મન વચન કાયાથી
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy