SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અપ્રીતિ આદિ લક્ષણો વડે માનવ જીવનમાં રહેલો કોઇ નકારી શકાતું નથી. બેશક, અપ્રીતિ આદિમાં નિર્મમત્વ લક્ષણથી લક્ષિત વૈરાગ્ય પણ કારણરૂપે હોઈ શકે છે, પરંતુ નિશ્ચયાત્મક દૃષ્ટિએ નિર્મમ માનવના જીવનમાં શ્રેષાત્મક અપ્રીતિ હોતી નથી, પણ દયાપૂર્ણ પ્રીતિ–પ્રેમ-મિત્રતાનો સાગર ઉછળતો હોય છે જેમકે મહાવીર સ્વામીને ચંડકૌશિક કે સંગમ ઉપર, પાર્શ્વનાથને કમઠાસર ઉપર, ખ ધકમુનિના પાચસો શિષ્યને પાલક મંત્રી ‘ઉપર, ગજસુકુમાલ મુનિને પિતાના સસરા ઉપર, મેતારજ મુનિને તેની ઉપર, ચન્દનબાળાને મૂળા શેઠાણ ઉપર કે રાજિમતીને પિતાના દિયર મુનિ ઉપર અપ્રીતિ–અપ્રેમ-નફરત કે રેષ ન હતું, પણ અદ્ભુત કરુણા હતી, મૈત્રીભાવ હતું, દયાની ચરમસીમા હતી તેથી જ કહેવાયું છે કે સમ્યકત્વના લાગી ગયેલા કેસરીયા રંગથી પૂર્ણ રૂપે રચાયેલા જીવાત્માને કેઈ પ્રત્યે પણ અપ્રીતિ–નફરત કે ઉદાસીનતા પણ હોતી નથી. માટે જ શાસ્ત્રવચન છે કે અપ્રીતિ લક્ષણથી કોલ લક્ષિત થયા વિના રહેતું નથી. તે ( ૬ ) ક્રોધ મutત રામ. (જીવા 1) અધ્યાપ્તિ, અતિવ્યાપ્તિ કે અસંભવાદિ દેષથી રહિત લક્ષણ વડે લક્ષ્યની સિદ્ધિ અસભવિત નથી, પરંતુ લક્ષ્યમાં લક્ષણની વિદ્યમાનતા હોવી જ જોઈએ તેવું નથી. લેખંડના ગેળામાં કે સગડીમાં અગ્નિરૂપ લક્ષ્ય તે છે, સાથે સાથે ધૂમાડા રૂપ લક્ષણની ગેરહાજરી પણ સ્પષ્ટ દેખાય છે તેવી રીતે સ્વાર્થવશ કે સમયના ગણત્રીબાજ ઘણા એવા માનવેને
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy