________________
૧૫
શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૧ જોઈતું જ હોય અને તે મેળવવા માટે થોડી ઘણી શ્રદ્ધા હોય તે સૌથી પહેલા યથાશક્તિ કષાયોનો ક્ષય કરવા માટે કે તેમને ઉપશમ કરવા માટે જ પ્રયત્ન કરવો જોઈએ તે કષાયે ચાર પ્રકારના છે – અનંતાનુબંધી કષાય, અપ્રત્યાખ્યાન કષાય, પ્રત્યાખ્યાન કષાય અને સંજવલન કષાય તે પ્રત્યેકના કોધ માન માયા અને તેમના ભેદે સોળ ભેદ થાય છે.
જીવમાત્રની લેશ્યાઓ સમયે સમયે બદલાતી રહેવાના કારણે અન તાનુબંધી કષાયમા જીવન યાપન કરનાર જીવને પણ કેઈક સમયે અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન કે સંજ્વલન કષાયને પણ રસાનુભવ થઈ શકવાના કારણે તે સમયમાં જ સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ સુલભ બનવા પામે છે. માટે જ અનંતાનુંબધી કષાયને સ્વામી નરકમા ગયા પછી પણ કેઈક સમયે સારા નિમિત્તો મળતાં સમ્યક્ત્વને પ્રાપ્ત કરવા માટે લાયક બને છે. એટલું ધ્યાનમાં રાખવાનું કે “અને તાનુબંધી કષાયોની વિદ્યમાનતામાં કેઈ પણ જીવને કેઈ કાળે પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી, અને પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ ટકી પણ શકતું નથી.
આ પ્રમાણે આ પ્રથમ કષાયમાં જ્યારે અપ્રત્યાખ્યાન આદિ કષાનુ મિશ્રણ થશે ત્યારે તેમને દેશવિરતિની પ્રાપ્તિ પણ સુલભ બને છે. ઉદાહરણરૂપે ચેથી નરકમાં રહેલા રાવણ અને લક્ષ્મણના જીવો છે, એમ એક કષાયનું બીજા કષાયમા મિશ્રણ થતા માનવના અધ્યવસાય બદલાતા રહે છે. જેમ અનંતાનુબંધમાં અન તાજુબ ધ અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન અને સ જ્વલન. અપ્રત્યાખ્યાનમાં અનંતાનુબંધ અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલન. પ્રત્યાખ્યાનમા અન તાનુબ ધ